વડતાલ મંદિરનાં પાર્ષદે બાળકી સાથે પાર કરી હેવાનિયતની તમામ હદો- મહિલા તો ઠીક નાનકડી બાળકીને પણ ન છોડી

રાજ્યમાં આવેલ વડતાલનાં સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક વખત વિવાદ સર્જાયો હોવાથી ફરી એકવાર આ મંદિર ચર્ચામાં આવ્યું છે. ગઈકાલે જ 47 વર્ષીય મંદિરના પાર્ષદે 8…

રાજ્યમાં આવેલ વડતાલનાં સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક વખત વિવાદ સર્જાયો હોવાથી ફરી એકવાર આ મંદિર ચર્ચામાં આવ્યું છે. ગઈકાલે જ 47 વર્ષીય મંદિરના પાર્ષદે 8 વર્ષની બાળકીને ગોમતી તળાવ એ ફરવા લઈ જવાના બહાને રાવલી રોડ પર એકાંત જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભોગ બનેલા 4 વર્ષની બાળકી એ આ વાત તેના માતા-પિતાને કરતા તેમના માવતરે ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આની સાથે જ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ઈસમને પકડી પાડીને જેલનાં હવાલે કરી દેવામાં આવ્યો છે. મળી રહેલ જાણકારી મુજબ છેલ્લા 30 વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા 47 વર્ષનાં સોહમ ભગત પાર્ષદ છે.

આ સત્સંગી અવાર-નવાર તેમના પરિવારની સાથે મંદિરમાં આવતા રહેતા હતા. ગઈકાલે આ પરિવાર મંદિરમાં ગયો ત્યારે સોહમ ભગતની નજર પરિવારની 8 વર્ષીય બાળા પર પડી હતી, તેમના મગજમાં વાસનાનો કીડો સળવળી ઉઠ્યો તો તેણે બાળકીને ‘ચાલ તને ગોમતી તળાવ પર ફરવા લઈ જવું’ કહીને ત્યાંથી ગોમતી તળાવનું કહીને માર્ગ પર લઇ ગયો હતો.

ત્યારબાદ બાળકીને અવાવરું જગ્યા પર લઈ જઈને સોહમ ભગતે આ બાળકીની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ ત્યાંથી ચાલ્યા ગયા હતા. દુષ્કર્મનો ભોગ બનેલ બાળાની પીડા માવતરના નજરે ચડતા તેમણે બાળકીને આ અંગેની પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી.

આ ઘટના અંગે પોલીસને જાણ કરી દેતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે તથા આરોપી સોહમ ભગવતી પણ ધરપકડ કરવામાં આવી છે. આની સાથે જ મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, બાળકીની હાલત હાલમાં ખુબ સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *