નડિયાદના કણજરી ચોકડી પાસે અજાણ્યા ટ્રકે બાઈકને મારી ટક્કર, બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત 

આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. મોટા ભાગના લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતમાં નીપજતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે જેમાં એક તરકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, નડિયાદના કણજરી ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કોઈ અજાણ્યા ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક ડિવાઈડર સાથે અથડાતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ચકલાસી પોલીસ દ્વારા ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, નડિયાદ શહેરમાં રહેતા 43 વર્ષિય કેયુરભાઈ દાદુભાઈ પટેલ પોતે આણંદ ખાતે નોકરી કરે છે. આજે સવારે તેઓ પોતાનું બાઇક નં. GJ-07-BJ-0632 ચલાવીને નોકરીએ જવા નીકળ્યા હતા. નડિયાદ તાલુકાના કણજરી ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા ટ્રક ચાલકે કેયુરભાઈના વાહનને ટક્કર મારી હતી.

ટક્કર માર્યા બાદ આ ટ્રક ચાલક ટ્રક લઈને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે બાઇક ચાલક કેયુરભાઈ તેમના બાઈક સાથે ફંગોળાઈ ડિવાઇડર સાથે અથડાતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ અંગે ચકલાસી પોલીસ દ્વારા ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *