હવાઈયાત્રામાં એક રાજ્યથી અન્ય રાજ્યમાં જતા પહેલા જાણી લેજો આ ખાસ નિયમ

કોરોનાવાયરસ ના કહેર બાદથી દરેક રાજ્ય સરકારે પોતાના રાજય માટે નવી માર્ગદર્શિકા બનાવીને રાખી છે. આ માર્ગદર્શિકામાં રાજ્ય સરકાર નાગરિકોને દિશાનિર્દેશ આપે છે કે તેઓએ કોરોના ના સમયમાં કયા નિયમોનું પાલન કરવાનું રહે છે. આ માર્ગદર્શિકામાં દુકાનોના ખોલવાનો સમય, નાઈટ કરફ્યુ,લગ્ન, વિવાહ, રાજ્યની બહાર જનારા લોકોને માટેના નિયમો, રાજ્યમાં આવનારા લોકો માટેના નિયમો સામેલ છે. રાજ્યના નાગરિકો અને રાજ્યમાં આવનારા લોકોને નિયમોનું પાલન કરવાનું રહે છે.

હવાઇ યાત્રામાં મુસાફરી કરીને એક રાજય થી અન્ય રાજ્યમાં જનારા લોકોને માટે આ નિયમોનું પાલન કરવાનું જરૂરી છે.તેમાં RTPCR ટેસ્ટ સાથેના અનેક નિયમો જોડાયેલા છે. તમે જો કોઈ એક રાજ્ય થી બીજા રાજ્યમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો તમે તે રાજ્યની માર્ગદર્શિકા વાંચો.

તો દરેક રાજ્યની અલગ ટ્રાવેલ માર્ગદર્શિકા હોય છે. જેમ કે દરેક યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કર્યું હોવું જોઈએ. આ સિવાય દિલ્હીના નિયમ અનુસાર કોઈપણ યાત્રીના પોઝિટિવ આવ્યા પર તેને દસ દિવસ કવોરન્ટાઇન કરાશે. આ સિવાય દરેક યાત્રી ના સેમ્પલ લેવાશે. આ સાથે રાજસ્થાનમાં આવનારા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરાશે અને સાથે યાત્રીકોને પોતાની સાથે કોવિડ નેગેટિલ વધારે ને વધારે 72 કલાક જૂનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *