સુરત: ‘લાલુ જાલિમના માણસો છીએ’ એમ કહીને પાણીપુરીની લારી ચલાવી રહેલ યુવાનને માર્યો ઢોરમાર -જુઓ વિડીયો

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. અમરોલી લેક ગાર્ડન નજીક કેટલાક અજાણ્યા ઈસમોએ પાણીપુરીની લારી ચલાવિ રહેલ યુવાનને જાહેરમાં ફટકારીને ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગયા પછી પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. નાસ્તાના રૂપિયા લીધા કેમ અમે લાલુ જાલિમના માણસો છીએ એવું કહીને પાણીપુરીની લારીવાળાને માર માર્યો હતો. તારે અહીં ધંધો કરવો હોય તો અમારું ધ્યાન રાખવાનું જણાવતા લારીવાળાએ સામો જવાબ આપ્યો હતો.

બન્ને અસામાજિક તત્વો લારીવાળા પર તૂટી પડ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. જો કે, જાહેરમાં થયેલ મારામારી બાદ કોઈએ 100 નંબર પર કોલ કરીને 108 બોલાવતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

લારીવાળા યુવાને ગાળો ન આપવાનું કહેતા બે ઈસમોએ મારામારી શરૂ કરી :
શંકરભાઇ ગુજ્જર (ઇજાગ્રસ્તના પિતા) એ કહ્યું હતું કે, કાનો 5 દિવસ અગાઉ વતન રાજસ્થાનથી સુરત આવ્યો હતો. ગુરુવારની સાંજે કામ કરવાં માટે હું માર્કેટ જતા પહેલા તેને લારી પર ઉભો રાખીને ગયો હતો. આ દરમિયાન કેટલાક ઈસમોએ આવીને પાણીપુરી ખાઈને 100 રૂપિયા આપ્યા હતા.

કાનાએ કુલ 40 રૂપિયા કાપીને 60 રૂપિયા પરત આપ્યા હતા. ત્યારપછી એ લોકો ત્યાંથી ચાલી ગયા પછી પાછાં લારી પર આવીને ગાળો આપીને અમને ઓળખતો નથી, લાલુ જાલિમના માણસો છીએ, અમારો ખ્યાલ રાખતો નથી, અહીં ધંધો કરવો હોય તો સાહેબજી કરવી પડે એવી વાત કરીને ઝઘડા પર ઉતરી પડ્યા હતા. કાનાએ ગાળો ન આપવાનું કહેતા મારામારી કરી હતી.

ધંધો નહિ કરવા દઈએ એવી ધમકી પણ આપી હતી :
આની સાથે જ કહ્યું હતું કે, જાહેરમાં દીકરાને માર મારી માથું ફોડી નાખ્યું હતું. ત્યારપછી હોસ્પિટલ લઈ ગયા હોવાની જાણ થતાં કોઈ કેસ કર્યો છે તો જોઈ લેજે ધંધો નહિ કરવા દઈએ એવી ધમકી આપી હતી. ઘટનાના 24 કલાક સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જો કે, સામાજના અગ્રણીઓ વચ્ચે પડતા પોલીસ ઉઘમાંથી જાગી ગઈ હતી તેમજ રાતોરાત પોલીસ માથાભારે લાલુ જાલિમના માણસોને ઉપાડી લાવીને શુક્રવારની રાત્રે FIR દાખલ કરી હતી. હાલમાં શનિવારે પોલીસે જવાબ લખાવવા ફરી બોલાવ્યા છે. સાહેબ અમે ગરીબ પરિવારના છીએ તેમજ રોજગારી માટે સુરત આવ્યા છે અમને ન્યાય અપાવો એવું શંકરભાઇએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *