18 દિવસથી ICU માં દાખલ લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર- ડોકટરે કહ્યું…

બોલિવૂડની ‘સ્વર કોકિલા’ લતા મંગેશકર (lata mangeshkar) કોવિડ પોઝીટીવ હોવાથી આઈસીયુમાં દાખલ છે. 8 જાન્યુઆરીએ લતા મંગેશકર કોવિડ પોઝિટિવ (covid positive) હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજીની ઉંમરને જોતા ડોક્ટરોએ તેમને ICUમાં રાખ્યા છે. આ દરમિયાન લતા મંગેશકરનો પરિવાર અને ડૉક્ટરો સતત તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી રહ્યા છે.

સંબંધીએ શું કહ્યું?
હવે લતા મંગેશકરના સંબંધીએ કહ્યું છે કે, પરિવાર માટે તેમના સ્વાસ્થ્યની અપડેટ દરરોજ આપવી મુશ્કેલ બની રહી છે. વધુમાં કહે છે કે, પરિવાર આવતીકાલે એટલે કે 28 જાન્યુઆરીએ લતાજીના સ્વાસ્થ્ય વિશે અપડેટ કરશે. વધુમાં કહ્યું કે દરરોજ અપડેટ આપવી મુશ્કેલ છે. તેથી જ અમે આવતીકાલે લતાજીના સ્વાસ્થ્યની અપડેટ આપીશું.

પરિવાર તરફથી નિવેદન આવ્યું
થોડા દિવસો પહેલા લતા મંગેશકરના પરિવારે એક નિવેદન જારી કરીને પ્રાઈવસીની માંગ કરી હતી. તેમણે નિવેદનમાં લખ્યું, ‘લતાજીની તબિયતમાં સુધારો થયો છે. પરંતુ તે હજુ પણ ICUમાં છે. ડૉ.પ્રતુત સમદાની ટીમની દેખરેખ હેઠળ દીદીની સારવાર ચાલી રહી છે. તેમની તબિયત અંગે દરરોજ અપડેટ આપવી શક્ય નથી. આ સંપૂર્ણપણે પરિવારની ગોપનીયતાની બાબત છે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે મામલાની ગંભીરતા સમજવાનો પ્રયાસ કરો. અફવાઓ ફેલાવવાનું ટાળો અને લતાજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. અમે તમારા સહકાર માટે આભારી છીએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *