Lockdown થી પરેશાન પ્રવાસી મજૂરો, સ્મશાન પાસે પડેલા સડેલા કેળા ખાવા માટે મજબૂર

Lockdown માથી સૌથી વધારે તકલીફ પ્રવાસી મજૂરોને થઈ છે. દેશની રાજધાની દિલ્હી નો પણ તેના પર ખરાબ પ્રભાવ પડયો છે. દિલ્હીના કશ્મીરી ગેટ પાસે હજારો…

Lockdown માથી સૌથી વધારે તકલીફ પ્રવાસી મજૂરોને થઈ છે. દેશની રાજધાની દિલ્હી નો પણ તેના પર ખરાબ પ્રભાવ પડયો છે. દિલ્હીના કશ્મીરી ગેટ પાસે હજારો પ્રવાસીઓ મજૂરો યમુના કિનારે સુવા માટે મજબૂર છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેમને સડેલા કેળા પણ ખાવા પડી રહ્યા છે.

દિલ્હીના નિગમ બોધ ઘાટ પર યમુના કિનારે સડેલા કેળા ના ઢગલામાંથી પ્રવાસી મજૂરો શોધી રહ્યા છે કે કોઈ એક સારું મળી જાય તો તેના પેટ ને રાહત મળે.

એક મજૂર સાથે વાત કરતાં માલૂમ પડ્યું કે ભુરીયા શું કરવું ખાવાનું નથી મળી રહ્યું તો કેળા ખાઈ રહ્યા છીએ. અલીગઢ થી આવ્યો છું રહ્યા છીએ અને ખાવાનું નથી આવતું તો કેળાથી ચલાવી લઈએ છીએ.

નિગમબોધ ઘાટ થી લઈને મજનુ ના લીલા સુધી હજારો પ્રવાસીઓ મજૂરો જમુના કિનારે સુતા મળી આવશે.૫૫ વર્ષના જગદીશકુમાર જે બરેલીના રહેવાસી છે તેઓ જૂની દિલ્હીમાં મજૂરી કરે છે પરંતુ lockdown ના કારણે બધું બંધ છે. રહેવા માટે જગ્યા નથી અને રોડ પર સૂઈ જાય તો પોલીસ પણ મારે છે.

એટલા માટે તેઓ યમુના કિનારે આવીને પડ્યા છે.જગદીશએ જણાવ્યું કે ભાઈ બે દિવસ બાદ ખાવાનું મળે છે, અહીંયા મજૂરી કરતો હતો, હવે અહીંયા જ ફસાઈ ગયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *