ગુજરાતમાં હવે માસ્ક વગર દેખાયા તો સમજો આવી બન્યું, 200ની જગ્યાએ આટલો દંડ નક્કી કરાયો

રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માસ્ક વગર પહેરવા વગર ફરવાળાઓને 500 રૂપિયા…

રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માસ્ક વગર પહેરવા વગર ફરવાળાઓને 500 રૂપિયા દંડ કરવામાં આવશે.

અમદાવાદમાં કોરોના મહામારીના વધતાં કેસોને ઘ્યાનમાં લઇને તંત્ર દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસ્ક નહીં પહેરનારાઓ પર તંત્રએ લાલ અંખ બતાવી  છે. હવે જે લોકો માસ્ક નહી પહેરે તેને હવે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ રકમ પહેલાં 200 રૂપિયા હતી. જેમાં હવે 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે જાહેરમાં માસ્ક વિના ફરનારા લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

આ ઉપરાંત તંત્રએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. પાનના ગલ્લા પર થૂંકનારાઓની હવે ખૈર નથી. પાનના ગલ્લાઓ પર જો કોઇ થૂંકશે તો પાનના ગલ્લાના માલિક પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ જાહેરમાં થૂકશે તો તેને પણ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

લોકોમાં હજુ પણ આ ઘાતક વાયરસને ગંભીરતા થી નથી લઈ રહ્યા. મોટી સંખ્યામાં લોકો જાહેરમાં માસ્ક વિના ફરતા અને થૂકતાં જોવા મળે છે. જેના પગલે તંત્રએ કડક પગલા લઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *