મંદિરે માનતા માનવા જઈ રહ્યો હતો પરિવાર અને પહોંચી ગયા યમરાજના ઘરે- અકસ્માતમાં 5 લોકોના દર્દનાક મોત

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ખંડવા(Khandwa) જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત(Accident) સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે દોડતું ટ્રેક્ટર-ટ્રોલી પલટી મારી ગયું હતું. આ દરમિયાન ટ્રેક્ટરમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને મૃતદેહો બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માનતા માનવા જઈ રહ્યો હતો પરિવાર અને પહોંચી ગયા યમરાજના ઘરે:
ખરેખર, આ ભયાનક અકસ્માત જિલ્લાના છનેરા (નવા હરસુદ) પોલીસ સ્ટેશન વિસ્તારના ધનોરા ગામ પાસે થયો હતો. પ્રાથમિક માહિતી સામે આવી છે કે, એક જ પરિવારના લોકો ટ્રેક્ટર-ટ્રોલી લઈને નજીકના ગામના મંદિરમાં માનતા માનવા જઈ રહ્યા હતા. પરંતુ ભગવાનના સ્થાને પહોંચે તે પહેલા જ આ ભયંકર અકસ્માત થયો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે.

આ મામલાની માહિતી આપતા હરસુદ એસડીઓપી રવિન્દ્ર વાસ્કલેએ જણાવ્યું કે, ટ્રેક્ટર-ટ્રોલીમાં લગભગ 35 લોકો હતા, જેમાં 5ના મોત થયા છે. અને 10 ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે કેટલાકને સામાન્ય ઈજાઓ થઈ છે. ગામલોકોએ ટ્રેક્ટરની નીચે દટાયેલા લોકોને બચાવ્યા, ત્યારપછી જાણ થતાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. અમારી ટીમ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચી અને તમામને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.

મૃતકોમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે:
ખુદ હરસુદ એસપી વિવેક સિંહે અકસ્માતની પુષ્ટિ કરી છે, તેમણે કહ્યું કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં એક નાનું બાળક પણ સામેલ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કેટલાક લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. તે જ સમયે, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. તેમજ મૃતકના સ્વજનોને મૃતદેહ લેવા માટે જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *