આજે મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરતા આ કામ, નહિતર નારાજ થઇ જશે દેવોના દેવ મહાદેવ

Mahashivratri 2023: હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે 18 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે…

Mahashivratri 2023: હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે 18 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. માન્યતા અનુસાર, મહાશિવરાત્રી એ ભગવાન શિવની ઉપાસના માટે સર્વોચ્ચ દિવસ છે. આજે લોકો મહાશિવરાત્રીના ઉપવાસ કરશે. આ દિવસે ઉપવાસ કરનારા લોકોએ પણ કેટલાક ખાસ નિયમો અને સાવચેતીઓનું પાલન કરવું પડશે. આવો જાણીએ મહાશિવરાત્રિના વ્રત દરમિયાન અમુક કામ એવા હોય છે જેને ટાળવા જોઈએ.

1. કાળા કપડાં પહેરવાનું ટાળો:
મહાશિવરાત્રિ પર સ્નાન કર્યા વિના કંઈપણ ખાવું નહીં. વ્રત ન હોય તો પણ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું. મહાશિવરાત્રીના દિવસે કાળા કપડા ન પહેરવા. આ દિવસે કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે. તે જ સમયે, શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદને સ્વીકારવો નહીં, કારણ કે તે અશુભ ગણવામાં આવે છે. આમ કરવાથી ધનને નુકશાન પણ થઇ શકે છે.

2. શિવલિંગ પર કુમકુમ ન ચઢાવો:
શિવલિંગ પર ક્યારેય કુમકુમ તિલક ન લગાવો. મહાશિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ચંદનની ટીકા લગાવી શકાય છે. જો કે, ભક્તો મા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિ પર કુમકુમ ટીકા લગાવી શકે છે.

3. આ વસ્તુઓ ન ખાઓ:
શિવરાત્રીના તહેવાર પર દાળ, ચોખા કે ઘઉંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું સેવન ન કરવું. ઉપવાસ દરમિયાન તમે દૂધ અથવા ફળોનું સેવન કરી શકો છો. સૂર્યાસ્ત પછી કંઈપણ ખાવું નહીં. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે. તો દિવસની શરૂઆત આ કામથી કરો. નવા કે સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો.

4. કેતકીના ફૂલ ન ચઢાવો:
ભગવાન શિવને ભૂલીને પણ કેતકી અને ચંપાના ફૂલ ન ચઢાવો. કહેવાય છે કે આ ફૂલોને ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો. કેતકીનું ફૂલ સફેદ હોવા છતાં ભોલેનાથની પૂજામાં ન ચઢાવવું જોઈએ.

5. રાત્રે સૂવું નહીં:
શિવરાત્રીના તહેવાર પર મોડે સુધી સૂવું નહીં અને રાત્રે સૂવાનું ટાળવું. રાત્રે જાગરણ દરમિયાન ભગવાન શિવના સ્તોત્રો સાંભળો અને આરતી કરો. બીજે દિવસે સવારે સ્નાન કરીને પ્રસાદ લીધા પછી શિવજીને તિલક કરવાથી ઉપવાસ તોડી શકાય છે.

6. તૂટેલા બીલીપત્ર:
શિવરાત્રિ પર શિવને ત્રણ પાન સાથે બીલીપત્ર અર્પણ કરો અને અર્પણ કરતી વખતે દાંડી તમારી બાજુમાં રાખો. ફાટેલું કે તૂટેલું બીલીપત્ર ન ચઢાવવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *