અમરનાથ ગુફા પાસે મોટી દુર્ઘટના- વાદળ ફાટવાને કારણે 16 શ્રદ્ધાળુઓના મોત, અનેક લાપતા- ‘ઓમ શાંતિ’

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં અમરનાથ ગુફા(Amarnath Cave) પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના(Big tragedy) સર્જાઈ હતી. ભારે પૂરમાં અનેક શ્રદ્ધાળુઓ તણાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 16 લોકોના મોત(16 deaths)ની પુષ્ટિ થઈ છે. જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે 40થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. તેમની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation) ચાલી રહ્યું છે. ITBP અને NDRFની ટીમો સ્થળ પર ઊભી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. શનિવાર સવારથી ફરી એકવાર કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

વાદળ ફાટ્યા બાદ તંબુઓ પણ પાણીના વહેણમાં વહેવા લાગ્યું હતું, ત્યારબાદ શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાયો હતો. ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. બચાવ કાર્યમાં જોડાયેલા સુરક્ષાકર્મીઓએ દાવો કર્યો છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

સુરક્ષા દળોનું એમ પણ કહેવું છે કે બચાવ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બાલતાલ જવાના રસ્તે ITBP અને NDRFની ટીમો પણ અહીં તૈનાત કરવામાં આવી હતી. આ ટીમોએ ત્યાં હાજર તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. NDRF, એડમિનિસ્ટ્રેશન અને શ્રાઈન બોર્ડ દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે.

ANI એ અહેવાલ આપ્યો છે કે કાશ્મીરમાં તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર જોડાવા માટે કહેવામાં આવ્યું છે. શ્રીનગર, બાંદીપોરા, બારામુલ્લા અને બડગામના સીએમઓને ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની વધારાની ટીમો બાલતાલ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. દવાઓ અને ઈમરજન્સી મેડિકલ કીટ પણ મંગાવવામાં આવી છે. ગાંદરબલના સીએમઓ ડૉ. એ. શાહે શુક્રવારે કહ્યું હતું કે આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 48 લોકો ઘાયલ છે. ઘાયલોને અપર હોલી કેવ, લોઅર હોલી કેવ અને પંજતરની બેઝ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

અમરનાથ યાત્રા દરમિયાન થયેલા અકસ્માત બાદ જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા લોકોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની મદદ માટે તેમનો સંપર્ક કરી શકાય છે. પહેલગામમાં જોઈન્ટ પોલીસ કંટ્રોલ રૂમના નંબરો 09596779039, 09797796217, 1936243233, 01936243018 છે. આ સિવાય અનંતનાગ પોલીસ કંટ્રોલ રૂમનો નંબર 09596777669, 09419051940, 01932225870 અને 01932222870 પર સંપર્ક કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *