સુરતમાં સોલંકી પરિવારનો સામૂહિક આપઘાત: 2 બાળકો સહિત પરિવારના 6 સભ્યોને ઝેરી દવા આપી પિતાએ ગળાફાંસો ખાધો

Mass suicide of a family in Surat: સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવી રહ્યો છે. તે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ…

Mass suicide of a family in Surat: સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવી રહ્યો છે. તે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ સામે આવ્યુ નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એક જ પરિવારના 7 સભ્યોનો આપઘાત
મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જ્યારે મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.

સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ
આ અંગેની જાણ પોલીસને થતાં અડાજણ પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજુ તરફ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *