વારંવાર દુષ્કર્મનો ભોગ બનતી યુવતીએ નરાધમને તડપાવી-તડપાવી મોતને ઘાટ ઉતાર્યો

20 દિવસ બાદ આખરે પોલીસે રાજસ્થાનના અલવર (Alwar, Rajasthan) જિલ્લામાં પૂર્વ સરપંચના પુત્રની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. આ કેસમાં 14 વર્ષની સગીર યુવતીએ પોલીસની…

20 દિવસ બાદ આખરે પોલીસે રાજસ્થાનના અલવર (Alwar, Rajasthan) જિલ્લામાં પૂર્વ સરપંચના પુત્રની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. આ કેસમાં 14 વર્ષની સગીર યુવતીએ પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે, મૃતક અને અન્ય લોકો દ્વારા વારંવાર શારીરિક શોષણ થતાં તેણીએ દુપટ્ટા અને વાયર વડે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા સમયે મૃતક નશામાં હતો.

એડિશનલ એસપી અતુલ સાહુએ જણાવ્યું કે, 17 મેના રોજ કોટકસિમ વિસ્તારના ખાનપુર ગામમાં પૂર્વ સરપંચ ધનીરામ યાદવના પુત્ર વિક્રમ ઉર્ફે લાલાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ લાશને ગામ પાસેના ખેતરમાં રસ્તાની બાજુમાં ફેંકી દીધી હતી. શરૂઆતમાં એવું લાગતું હતું કે ટૂંક સમયમાં હત્યાનો ખુલાસો થશે, પરંતુ સ્થળ પરથી કોઈ પુરાવા ન મળવાને કારણે મામલો જટિલ બન્યો હતો.

પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. વિક્રમની હત્યાના આરોપમાં ગામની સગીર યુવતીની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે એક છોકરા સાથે રિલેશનશિપમાં હતી. એક દિવસ બે છોકરાઓએ તેને વાંધાજનક સ્થિતિમાં જોઈ અને બ્લેકમેઈલ કરીને તેનું યૌન શોષણ શરૂ કર્યું. થોડા દિવસો પછી વિક્રમને પણ ખબર પડી અને આ જ વાતનો ફાયદો ઉઠાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા લાગ્યો.

સગીર બાળકી આ બાબતે પરિવારના સભ્યો સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ હિંમત ન દાખવી શકી. તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે થઈ શકી નહીં. આ દરમિયાન વિક્રમ તેને સતત હેરાન કરતો હતો. આવી સ્થિતિમાં સગીર બાળકીએ વિક્રમને સજા આપવાનો પ્લાન બનાવ્યો.

17 મેની રાત્રે સગીરે વિક્રમને તેના ઘરે બોલાવ્યો હતો. તે દારૂના નશામાં તેના ઘરે પહોંચ્યો હતો. ઘરેથી સગીરને નજીકના ખેતરમાં બોલાવ્યો અને દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ ઘરે આવ્યા બાદ તે સુઈ ગઈ. સવારે જ્યારે રાહદારીઓએ મૃતદેહ જોયો ત્યારે સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપ્યો હતો.

પોલીસ અધિકારી મહાવીર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, વારંવાર શારીરિક શોષણથી પરેશાન થઈને સગીરે વિક્રમનું ગળું દબાવીને હત્યા કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે સગીરનું શારીરિક શોષણ કરતો હતો. 17 મેની રાત્રે પણ તે દારૂના નશામાં સગીરને મળવા ખોટા ઈરાદે આવ્યો હતો. આખરે નારાજ થઈને બાળકીએ નરાધમનો જીવ લીધો. જોકે, બાળકીની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે ગેંગરેપનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીર બાળકીને નારી નિકેતન મોકલવામાં આવી છે. આ કેસમાં પોલીસ ડઝનબંધ લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *