ભયંકર કાર અકસ્માતમાં એક જ પરિવારની બે દીકરીઓના મોત- ‘ઓમ શાંતિ’

દિલ્હી (Delhi)ના શકરપુર વિસ્તાર (Shakarpur area)માં વિકાસ માર્ગ પર મોડી રાત્રે એક પુર પાટ ઝડપે આવી રહેલી વેગનાર(Wagner) કાર અકસ્માત (Accident)નો ભોગ બની હતી. કારમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાંથી બે યુવતીઓને ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સારવાર દરમિયાન બંને બાળકીઓનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હજુ સુધી ઘાયલો અને મૃતકોની ઓળખ થઈ શકી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, વેગનાર કારમાં સવાર લોકો એક કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્હીના પીરાગઢી વિસ્તારમાંથી કર્કડૂમા ઘરે જઈ રહ્યા હતા ત્યારે વિકાસ માર્ગ પર અકસ્માત થયો હતો. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કારની સ્પીડ તેજ હતી, જેના કારણે આશંકા છે કે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હશે, જેના કારણે કાર અકસ્માતનો શિકાર બની છે. કાર કેવી રીતે અકસ્માતનો ભોગ બની તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.

અકસ્માત બાદ કારને ભારે નુકસાન થયું:
અકસ્માત બાદ કારને ભારે નુકસાન થયું હતું. કાર એક બાજુથી રોડ પર પલટી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *