સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીની આત્મહત્યા

સુરત વિસ્તારમાં વ્યાજખોરોના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પોલીસનો ડર રાખ્યા વિના વ્યાજખોરો બેફામ બની ચૂક્યા છે. આવી જ ઘટના સુરતના ડભોલી વિસ્તારમાંથી સામે આવી રહી છે.

વ્યાજખોરોના ત્રાસથી ડભોલીના ગેરેજ માલિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેમણે સુસાઈડ નોટ પણ લખી છે. આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ પરષોત્તમભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે સુસાઇડ નોટમાં રમેશ રબારી અને દિનેશ રબારી નામના વ્યાજખોરોનો આતંકનો ઉલ્લેખ કર્યો છે અને તેમના કારણે તેમણે આત્મહત્યા કરી છે.

મળતી વિગતો મુજબ તેમણે વ્યાજખોરો પાસેથી ૪૧ હજાર લીધા હતા. અને વ્યાજખોરો તેના બદલામાં બે લાખ રૂપિયા માંગી રહ્યા હતા. સુસાઇડ નોટમાં પોલીસ કમિશનર પણ તેઓનું કંઈ બગાડી શકશે નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરસોતમભાઈ એ 81 હજાર ચૂકવ્યા બાદ પણ તેઓ વ્યાજખોરો દુકાનની બહાર બળજબરીથી બેસી ગયા. તેઓ દુકાન પચાવી પાડવા માંગતા હતા. એટલું જ નહીં દુકાનની બહાર વ્યાજખોરો દ્વારા બેનર પણ મારવામાં આવ્યા હતા.હવે જોવું એ રહ્યું કે શું પોલીસ કોઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *