એવું તો શું થયું કે, માતાએ જ પોતાના ત્રણ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતારી પોતે પણ કરી લીધો આપઘાત

નાસિક: છેલ્લા ઘણા સમયથી કોરોના કાળને લીધે ઓનલાઇન શિક્ષણના વધતા જતા વ્યાપને કારણે બાળકો પર ભણતરનો વધુ ભાર પડી રહ્યો છે. ઓનલાઈન શિક્ષણમાં બાળકો વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જેને કારણે મહારાષ્ટ્રમાં એક સાડાત્રણ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે.

ત્યારબાદ માને પસ્તાવો થતાં ગળેફાંસો ખાઈ તેણે પણ આપઘાત કરી લીધો હતો. નાસિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પાથરડી ફાટા વિસ્તારના સાંઈ સિદ્ધિ એપાર્ટમેન્ટની છે. સોમવારે રાત્રે 9:30 વાગ્યે 30 વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે, આ બંને મોત માટે કોઇને પણ જવાબદાર ગણવા જોઈએ નહી. 

આ ઉપરાંત મહિલાએ સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, દીકરાની હત્યા તેણે જ કરી છે. જોકે, બંનેના મૃતદેહ રૂમની અંદર જ હતા. રૂમ અંદરથી બંધ હતો અને બાળકના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. મહિલાનાં માતા-પિતાએ પણ પોતાના ભાણિયાની હત્યા કરવામાં આવી છે એની પુષ્ટિ પણ કરી છે.

આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ શેખે જણાવ્યું હતું કે, સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ તકિયાથી મોઢું દબાવી પોતાના જ પુત્રની હત્યા કરી હતી. આ ઘટના અંગે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *