હજુ તો જુવાનીનો તાતણો’ય ફૂટ્યો નથી ને, આ યુવતીએ તેની માતાને આપ્યું દર્દનાક મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાયબરેલી (Raebareli)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં, એક દીકરીએ પોતાની જ માતાની હત્યા(Murder) કરી નાખી. પુત્રીએ તેની માતાની હત્યા…

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાયબરેલી (Raebareli)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં, એક દીકરીએ પોતાની જ માતાની હત્યા(Murder) કરી નાખી. પુત્રીએ તેની માતાની હત્યા એટલા માટે કરી કે તેણી તેના પ્રેમસંબંધમાં અવરોધ ઉભી કરી રહી હતી અને તેનો ફોન છીનવી લીધો હતો. આ મામલો સારેની થાણા વિસ્તાર (Thana area of Sare)ના સૂરજીપુર(Surjipur) ગામનો છે.

સમગ્ર ઘટનાની એકમાત્ર સાક્ષી મૃતકની પુત્રી હતી, જેણે હત્યાની આખી કહાનીનો પલટો કર્યો હતો. હત્યા કર્યા પછી, તેણે તેના પિતાને એક ઉપજાવી કાઢેલી વાર્તા કહી કે, કેવી રીતે તેના પિતાના વિરોધીએ તેની માતાની હત્યા કરી. તેણે પોલીસની સામે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું.

હત્યાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈને તપાસ શરૂ કરી તો પરિવારના સભ્યો પર જ શંકા ગઈ. મહિલાની ઘરની અંદર હત્યા કરવામાં આવી હતી અને પોલીસને ઘટનાસ્થળેથી આવા ઘણા પુરાવા મળ્યા હતા, જેનાથી સ્પષ્ટ થયું હતું કે હત્યા કરનાર ઘરનો જ વ્યક્તિ હતો. જ્યારે પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી અને દરેકના મોબાઈલ ચેક કર્યા તો સત્ય બહાર આવ્યું. શંકાના આધારે પોલીસે મૃતક મહિલાની પુત્રીની કડક પૂછપરછ કરતાં તેણી ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

ધરપકડ બાદ તમને પણ જાણીને નવાઈ લાગશે કે સગીર દીકરીએ પોલીસની સામે જ કહ્યું હત્યાનું કારણ. તેણે જણાવ્યું કે તેની માતા છોકરાઓ સાથે ફોન પર વાત કરવાની ના પાડતી હતી, ઘણી વખત તેઓએ તેનો ફોન પણ છીનવી લીધો હતો. આરોપી પુત્રીના કહેવા પ્રમાણે, આ માટે માતા તેને ઘણી વખત ઠપકો આપતી હતી અને માર મારતી હતી, જેનાથી તે પરેશાન થઈ જતી હતી. એક દિવસ ફરી તેની માતા સાથે ઝઘડો થતાં તેણે સિલબટ્ટાથી માર માર્યો હતો.

પૂછપરછ દરમિયાન યુવતીએ પોલીસને જણાવ્યું કે તે તેના મિત્ર સાથે ફોન પર વાત કરતી હતી અને તેની માતાને તે પસંદ નહોતું. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે સગીરની ધરપકડ કરી અને તેને લખનૌના ચિલ્ડ્રન્સ રિફોર્મ હોમમાં મોકલી આપ્યો. આ ઘટના અંગે રાયબરેલીના એસપી શ્લોક કુમારે જણાવ્યું કે, મહિલાની હત્યાની માહિતી મળી હતી. પતિએ આપેલી ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમાં મનીષ નામના વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યો હતો. જો કે, જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સ્થળ પર મનીષનું લોકેશન મળ્યું ન હતું, જેના પછી પરિવાર પર શંકા વધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *