કોરોના વચ્ચે ગુજરાતમાં ફેલાઈ વધુ એક ઘાતક બીમારી, એક સાથે 7 કેસ આવ્યા

હાલમાં કોરોનાના કેસમાં પહેલા કરતા ઘટાડો જોવા મળ્યો છે.  કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટા ભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓમાં હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારી…

હાલમાં કોરોનાના કેસમાં પહેલા કરતા ઘટાડો જોવા મળ્યો છે.  કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટા ભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓમાં હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે, તેમ સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ખડો થયો છે.

કોરોના વાયરસથી સાજા થયેલા અને ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારીથી પીડાતાં દર્દીઓએ એન્ટી બોડી જનરેટ થઈ ગઈ છે, હવે કંઈ નહિ થાય તેવું માનવાની જરૂર નથી, ઉલટાનું વધુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે કોરોનાને મ્હાત આપનારા દર્દીઓ હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારીમાં સપડાઈ રહ્યા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દી આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે. સિવિલના તબીબે કહ્યું કે, આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

૧૯ દર્દીઓએ આંખની રોશની ગુમાવી…
કોરોનાથી સાજા થયેલા દર્દીમાં શરદી થયા બાદ સમસ્યા થાય છે, અત્યાર સુધીમાં સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી ૪૩ ટકા એટલે કે ૧૯ દર્દીઓને આંખમાં દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે, આ રોગનો ફેલાવો એક દર્દીના મગજમાં થયો છે. વિદેશમાં આ બીમારીથી મૃત્યુ દર ૫૦ ટકા જેટલો રહ્યો છે, સિવિલ હોસ્પિટલમાં ૨૦ ટકા આસપાસ છે.

મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો
નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે.
નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે.
આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે.
મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ.

ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ અમદાવાદ સિવિલમાં 20 ટકા જેટલો છે.

કેવા દર્દીને થાય છે આ બીમારી
આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *