સુરતમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે દોષિત જાહેર કર્યો- આજે સજા સંભળાવશે

સુરત(Surat): શહેરમાંથી અવારનવાર દુષ્કર્મના કેસો સામે આવતા રહે છે. ત્યારે સુરતના પાંડેસરા(Pandesara) વિસ્તારના પ્રેમનગરમાં 10 વર્ષીય બાળકી પર કરવામાં આવેલ દુષ્કર્મને લઈને આજે કોટમાં ચુકાદો…

સુરત(Surat): શહેરમાંથી અવારનવાર દુષ્કર્મના કેસો સામે આવતા રહે છે. ત્યારે સુરતના પાંડેસરા(Pandesara) વિસ્તારના પ્રેમનગરમાં 10 વર્ષીય બાળકી પર કરવામાં આવેલ દુષ્કર્મને લઈને આજે કોટમાં ચુકાદો આવવાનો છે. જેમાં જે નરાધમ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે તેનો આજે સુરત કોર્ટ(Surat Court) દ્વારા મહત્વનો ફેંસલો લેવામાં આવશે.

10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ દિનેશ ભેસાણને કોર્ટ દ્વારા ફાંસી અથવા તો જનમટીપ(આજીવન કેદ)ની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવશે. આરોપી દિનેશ ભેસાણએ બાળકીનું અપહરણ કર્યા બાદ તેને 7 વાર માથામાં ઈંટ મારીને હત્યાને અંજામ આપ્યો હતો.

બાળકીના શરીર પર નરાધમ દ્વારા 40 જેટલા ઘા માર્યાના નિશાન મળી આવ્યા હતા. ત્યારે આ પ્રકારનું ખરાબ કૃત્ય આચરનાર નરાધમને આજે સુરતની કોર્ટ ફાંસી આપશે કે આજીવન કેદની સજા એ તો આવનારા સમયમાં ખબર પડશે.

આ અગાઉ શહેરના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ફક્ત 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી.

સોમવારના રોજ આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો. જેમાં આજે મંગળવારના રોજ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર એક મહિનાની અંદર એટલે કે 28 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી હોય તેવો ગુજરાતના ઈતિહાસનો સૌ પ્રથમ ચુકાદો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *