ખોડલધામના નરેશ પટેલ ક્યાં રાજકીય પક્ષનો કરશે પ્રચાર? આપ્યો ચોંકાવનારો જવાબ

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણી જંગ બરાબરનો જામી ગયો છે. કેટલા ઉમેદવારોના નામ હજી સુધી જાહેર થયા નથી, તો કેટલીક બેઠકો પર ઉમેદવારો દ્વારા પ્રચારના પડઘમ શરૂ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણી જંગ બરાબરનો જામી ગયો છે. કેટલા ઉમેદવારોના નામ હજી સુધી જાહેર થયા નથી, તો કેટલીક બેઠકો પર ઉમેદવારો દ્વારા પ્રચારના પડઘમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)નું એક નિવેદન ચર્ચામાં રહ્યું છે. નરેશ પટેલ ક્યાં પક્ષના? એવા અનેકવાર સવાલો ઉઠ્યા છે. થોડા સમય પહેલા તેઓ ભાજપ(BJP) કે કોંગ્રેસ(Congress)માં જોડાય છે તેવી વાતો પણ વહેતી થઈ હતી. તો નરેશ પટેલે ચૂંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથે પણ મુલાકાત કરી હતી. જેના બાદ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા(Ramesh Tilala)ને રાજકોટ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે, નરેશ પટેલ કોના માટે પ્રચાર કરશે. ત્યારે આ સવાલનો જવાબ ખુદ નરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, રમેશ ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી છે અને ભાજપ સાથે સંકળાયેલા છે. ખરો ચૂંટણીનો માહોલ તમામ ટિકિટો ફાઇનલ થયા પછી અને 15 તારીખે ફોર્મ પરત ખેંચ્યા પછી જ ખબર પડી શકે છે. રમેશભાઈની જેમ મારા અંગત ઘણા લોકો રાજકારણમાં છે. ત્રણેય રાજકીય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે. હું દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતા સાથે મુલાકાત કરતો હોઉં છું. તેથી હું કોઈપણ વ્યક્તિના એક પાર્ટીના પ્રચાર માટે જઇશ નહીં. જે સારા ઉમેદવારો છે તેને લોકો મત આપે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *