વધુ એક બોલીવુડ દિગ્ગજની તબિયત લથડતા હોસ્પીટલમાં- પણ ફેલાઈ મૃત્યુની વાતો…

બોલીવુડના અભિનેતા નસીરુદ્દીન શાહ તેમના અંદાજ અને એક્ટિંગ માટે ખુબ પ્રખ્યાત છે. પરંતુ આજકાલ તેઓ તેમની તબિયતને કારણે બહુ ચર્ચામાં છે. તાજેતરમાં અફવાઓએ જોર પકડયું…

બોલીવુડના અભિનેતા નસીરુદ્દીન શાહ તેમના અંદાજ અને એક્ટિંગ માટે ખુબ પ્રખ્યાત છે. પરંતુ આજકાલ તેઓ તેમની તબિયતને કારણે બહુ ચર્ચામાં છે. તાજેતરમાં અફવાઓએ જોર પકડયું હતું કે અભિનેતા નસીરુદ્દીન શાહની તબિયત ખરાબ છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેના આધારે તેમના ચાહકો વારંવાર તેમની તબિયતની પૃછા કરી રહ્યાં હતા. અફવાઓને રદિયો આપવા માટે અભિનેતાએ ગુરૂવારે ફેસબુક પર લખ્યું હતું કે, મારા સ્વાસ્થયની ચિંતા કરવા બદલ આપ સહુનો ખુબ આભાર. મારી તબિયત એકદમ સ્વસ્થ છે. હું ઘરે જ છું અને લૉકડાઉનનો આનંદ માણી રહ્યો છું. મહેરબાની કરીને અફવાઓ પર ધ્યાન ન આપો.

અભિનેતાના નાના પુત્ર વિવાન શાહે પણ આ બધી માત્ર અફવાઓ હોવાનું કહ્યું હતું અને સોશ્યલ મિડિયા પર પોસ્ટ કર્યું હતું કે, મારા પપ્પાની તબિયત સારી જ છે. હું ઈરફાન ભાઈ અને ચિંટુજીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *