ભારતના આ રાજ્યમાં હજુ સુધી કોરોનાને એન્ટ્રી થવા નથી દીધી- જાણો કેવી રીતે આ શક્ય બન્યું

કોરોનાવાયરસ આખી દુનિયામાં આ સમયે પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ભારત પણ હવે કોરોના સંક્રમણ ના મામલે હવે ત્રીજા નંબરે આવી ગયું છે. ભારતમાં અત્યાર સુધી સાત લાખ લોકોને આ મહામારી પોતાનો શિકાર બનાવી ચૂકી છે. પરંતુ ભારતનો એક એવો પ્રદેશ પણ છે જ્યાં હજુ સુધી એક પણ વ્યક્તિ આ જીવલેણ વાયરસથી સંક્રમિત નથી થયો.

જી હા અમે વાત કરી રહ્યા છીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની જ્યાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત એક પણ દર્દી મળ્યો નથી.

આ એક માત્ર એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં કોરોનાવાયરસ પોતાના પગ પસારી શક્યો નથી.આખરે જ્યારે આખા દેશમાં કોરોનાવાયરસ પગપેસારો કરી ચૂક્યો છે તો પછી લક્ષદીપ આનાથી કઈ રીતે બચેલું છે. તેના જવાબમાં ત્યાંના એક અધિકારીએ જણાવ્યું કે સૌથી પહેલા અમે અહીંયા પર્યટકો ના આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું કે કોરોના વાયરસ ફેલાવવા બાદ તે લોકોને અહીંયા પાછા આવવાની અનુમતિ આપવામાં આવી છે જે ત્યાંના સ્થાનિક નાગરિક છે. એટલું જ નહીં અહિયાં આવવા કરતા પહેલા તેમને પણ કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડયું છે અને નેગેટિવ મળી આવ્યા બાદ જ તેમને પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે કોરોના થી દેશમાં અત્યાર સુધી 743481 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે મૃત્યુનો આંકડો 22653 સુધી પહોંચી ગયો છે. તેમજ 457045 લોકો કોરોના સામેની લડાઇ જીતી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *