‘મૃત મહિલા’ આખી રાત મુર્દાઘરમાં રહી, સવારે જીવતી બહાર આવી

એક 81 વર્ષની મહિલાને ડોકટરોએ મૃત જાહેર કરી હતી. આ પછી તેને મુર્દાઘરમાં મૂકી દેવાઈ હતી. પરંતુ રાત્રે મુર્દાઘરમાં રહ્યા બાદ તે સવારે જીવંત બહાર આવી હતી.

આ મામલો રશિયાનો છે. તે મુર્દાઘરમાં રાત વિતાવ્યા બાદ જ્યારે તે જીવંત બહાર આવી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ચોંકી ગયો. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, મહિલાનું નામ ઝિનાડા કોનોનોવા છે. ઓગસ્ટ 14 ના રોજ, રશિયાના ગોર્શેન્સ્કીની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સર્જરી પછી ઝિનીડાને મૃત જાહેર કરવામાં આવી હતી.

ઝિનીડાને રાત્રે 1.10 વાગ્યે મુર્દાઘરમાં મૂકવામાં આવી હતી. પરંતુ સવારે 8 વાગ્યે લગભગ, કલાક પછી સ્ટાફ ઝિનાડાને મુર્દાઘરમાં જીવંત મળી આવતા ચોંકી ગયો. જ્યારે સ્ટાફે એમ્બ્યુલન્સ ડ્રાઇવરને બોલાવ્યો, શરૂઆતમાં ડ્રાઇવરે તેની વાત પર વિશ્વાસ કર્યો ન હતો.

મુર્દાઘરમાં જીવંત મળી આવ્યા બાદ ઝિનીડાને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના પછી, એક વરિષ્ઠ તબીબે મહિલાના પરિવારને કહ્યું – આ એક અસાધારણ પરિસ્થિતિ છે. તે જીવંત છે. ઝિનીડાના સંબંધીઓએ કહ્યું કે તે શરૂઆતમાં તેણી કોઈની ઓળખ કરી શકતી નથી, તેણીને તેની સર્જરી વિશે કંઇ યાદ નથી. પરંતુ તેણી તેના ઘૂંટણની તીવ્ર પીડા કહેવામાં સમર્થ હતી.

પાછળથી એક ડોક્ટરે કબૂલ્યું કે તેણે કથિત મૃત્યુ પછી એક કલાક અને 20 મિનિટ પછી જૈનિદાને મુર્દાઘરમાં મોકલી હતી. જ્યારે મૃત્યુના 2 કલાક બાદ તેને મુર્દાઘરમાં મોકલવાનો નિયમ છે. ઘટના બાદ હોસ્પિટલના હેડ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલાના પરિવારજનો હવે હોસ્પિટલ પર કેસ કરવાની યોજના બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *