કોંક્રિટ મિક્ષર ટ્રકમાંથી એક એક કરીને 18 લોકો બહાર નીકળ્યા, સંતાઈ ને જઈ રહ્યા હતા

મધ્યપ્રદેશના ઈંદોરમાં lockdown વચ્ચે 18 લોકો કોંક્રિટ મિક્સર ટેન્કમાં યાત્રા કરતા પકડાઈ ગયા છે. તમામ પ્રવાસી મજુરો છે અને મહારાષ્ટ્રથી લખનૌ જઈ રહ્યા હતા. પોલીસને જ્યારે સમગ્ર મામલો સંદિગ્ધ લાગ્યો તો ઈન્દોરમાં જ ટેન્કને રોકવામાં આવી. જ્યારે ડ્રાઇવર સાથે પુછપરછ કરવામાં આવી ત્યારે હકીકત સામે આવી.

પોલીસે જ્યારે ટેન્કને ખોલવા માટે કહ્યું તો તેમાંથી એક એક કરીને 18 લોકો નીકળ્યા. મહારાષ્ટ્રથી જ આ લોકો જીવ જોખમમાં નાખી યુપી જઈ રહ્યા હતા.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંને રાજ્યો કોરોનાથી પ્રભાવિત છે. મહારાષ્ટ્ર કોરોનાવાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય છે. સૌથી સતત વધી રહેલા lockdown અને સંક્રમણના કારણે હજારોની સંખ્યામાં હજારો પ્રવાસીઓ અહીં ફસાયા છે. એવામાં લોકો પોતાના રાજ્યમાં પાછા જવા માટે પરેશાન થઈ રહ્યા છે.

ઇન્દોરના ડીસીપી ઉમાકાંત ચૌધરીએ કહ્યું કે મજૂરો મહારાષ્ટ્રથી લખનૌ યાત્રા કરી રહ્યા હતા. ટ્રકને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. પોલીસ તમામ લોકો સાથે પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *