જે દેશમાં ગૌમાતા પૂજાય છે, ત્યાં જ નરાધમોએ કેટલીય ગાયોને તીક્ષ્ણ હથીયારનાં ઘા ઝીંકી અધમૂવી કરી

ઘણીવાર નિર્દયતાની તમામ હદો પાર થઈ ગઈ હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ દર્દનાક ઘટના સામે…

ઘણીવાર નિર્દયતાની તમામ હદો પાર થઈ ગઈ હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ દર્દનાક ઘટના સામે આવી છે. અબોલા પશુઓ પર અમાનવિય કૃત્યો સતત વધતા જઈ રહ્યાં છે. ક્યાંક કૂતરા પર તો ક્યાંક અન્ય કોઈ પશુ પર માણસની જાત અત્યાચાર આચરતી હોવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.

આવા સમયમાં હાલમાં રાજ્યના રાજકોટ શહેરમાં પણ એકસાથે 3 ગાયો પર કેટલાક કૃર શખ્સોએ ક્રૂરતા આચરવામાં આવી છે. અજાણ્યા નિર્દયી શખ્સો દ્વારા ધારદાર હથિયારના ઘા ઝીંકીને ગાયોને લોહીલુહાણ કરી દેતાં જીવદયા પ્રેમીઓ તેમજ સમગ્ર વિસ્તારના લોકોમાં અરેરાટી મચી જવા પામી છે.

નિર્દયી લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઉઠી માંગ:
શહેરમાં આવેલ ભગવતીપરા વિસ્તારના પુલ નીચે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ગાય પર નિર્દયતાથી ક્રૂર બનીને ઘાતક ધારદાર હથિયાર વડે હૂમલો કરવામાં આવ્યો હતો. એકસાથે 3 ગૌમાતાને હથિયાર મારીને લોહીલુહાણ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારનાં લોકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે. લોકોએ આવા નિર્દયી લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

પશુ ડોક્ટરને જાણ કરતા ગાયોને સારવાર અપાઈ:
ભગવતીપરા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી નારણભાઈના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ 3 ગાય પર ધારદાર હથિયારથી હુમલો કરતા લોહીલુહાણ કરી છે. આ અંગેની જાણ સવારના સમયે પોલીસ તેમજ પશુ ડોક્ટરને થતા સારવાર અપાઈ હતી.

આની સાથે જ જીવદયા પ્રેમી દ્વારા આ મામલે પોલીસને જાણ કરી દેતા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ જીવદયા પ્રેમી તથા આજુબાજુના વિસ્તારના લોકોના નિવેદન નોંધીને હુમલો કોને તેમજ શા માટે કર્યો તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *