સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ કર્યું મોતને વ્હાલું- મેણાંટોણાં મારી કરતા હતા હેરાન 

ગુજરાત(Gujarat): રાજ્યમાં તળાજા(Talaja)ના મણાર(Manar) ગામે ગઈ કાલે મધ્ય રાતે પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તળાજા(Talaja)ના મણાર(Manar) ગામે ગઈ કાલે મધ્ય રાતે પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે અંગે મૃતક મહિલાના ભાઈએ અલંગ પોલીસ સ્ટેશન(Alang Police Station)માં ફરિયાદ દાખલ કરાવી હતી.

તળાજાના પાવઠી ગામે રહેતા ઉસ્માનભાઈ હાસમભાઈ જુનેજાએ અલંગ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી ઈમરાન દિલાવરભાઈ કુરેશી, તેમની બહેનના સાસુ મુનીબેન તથા નણંદ આસ્મીનબેન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી કે, દસ વર્ષ અગાઉ તેમના બહેન અફસાના બહેનના લગ્ન મણાર ગામના ઈમરાનભાઈ કુરેશી સાથે થયાં હતા અને ત્રણ વર્ષ પૂર્વે અફસાનાબેન તેના પિયરે આવીને જણાવતા કહ્યું હતું કે, ઈમરાન દારૂ પીને ઘરે આવીને અવારનાવર ઝઘડો કરતો હોય તથા સાસું કરિયાવર માટે મેણાંટોણાં મારતા હોય અને નણંદ તું ઈમરાનને દારૂ પિવડાવે છે તેમ કહી મેણાંટોણાં મારી હેરાન કરી રહ્યા છે.

જે-તે સમયે સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક કક્ષાએ સમાધાન કરાવવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં આ લોકો અફસાના બહેનને હેરાન-પરેશાન કરી ત્રાસ આપી રહ્યા હોય એક વર્ષ પૂર્વે પણ અફસાના બહેને તેમને ફોન કરી જણાવતા કહ્યું હતું કે, હું મારી સાસરીમાં વધારે નહી જીવી શકું મને અહીંથી લઈ જાઓ, જેથી તેને પિયર તેડી આવ્યા હતા. થોડા દિવસો આગાઉ અફસાના બહેનના સસરાનું એક્સિડેન્ટ થતાં સમજાવીને ફરી સાસરે મોકલવામાં આવ્યા હતા.

જે બાદ ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ અફસાનાબહેને તેમના પતિ, સાસું અને નણંદના ત્રાસથી તેમના ઘરે છતની હુક સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ અંગે અલંગ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *