પરિવાર મૃતદેહને ટુવ્હીલર ગાડીમાં લઇ જવા મજબુર- જાણો કયાની છે આ ઘટના

કોરોનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે અને દેશના દરેક રાજ્યોની આરોગ્ય તંત્ર ખોખલું સાબિત થઇ રહ્યું છે. પરંતુ બિહારના સાસારામમાં દર્દીના મોત અને દુષ્કર્મથી…

કોરોનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે અને દેશના દરેક રાજ્યોની આરોગ્ય તંત્ર ખોખલું સાબિત થઇ રહ્યું છે. પરંતુ બિહારના સાસારામમાં દર્દીના મોત અને દુષ્કર્મથી નીતીશ સરકારના વિકાસના દાવાઓ ખુલ્લા પડી ગયા છે અને હાલ આ તસવીરે ખુદ માનવતાને શરમિંદગી આપી છે.

સદરમની સદર હોસ્પિટલમાં વૃદ્ધ વ્યક્તિના મોત બાદ તેને એમ્બ્યુલન્સ આપવામાં આવી ન હતી. પરિવારને તેમના વડીલોની લાશ બાઇક પર લઇ જવાની ફરજ પડી હતી જ્યારે ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓ પણ મૌન દર્શકો બનીને આ તમાશો જોઈ રહ્યા હતા.

મળેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વડીલનું નામ સીતારામ છે. અહેવાલ મુજબ, 70 વર્ષિય વૃદ્ધ વ્યક્તિની તબિયત અચાનક વણસી હતી, ત્યારબાદ પરિવારે તેને ઉતાવળમાં સદર હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના ગેટ પાસે પહોંચતાંની સાથે જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

આ ઘટના સામે આવતા લોકોમાં રોષ ભરાઈ ગયો હતો. જે રીતે પરિવાર આ બીમાર વૃદ્ધને હોસ્પીટલમાં લાવ્યા હતા એ જ રીતે પરિવાર મૃતદેહને એક એમ્બ્યુલન્સ પણ ન મળતા ટુવ્હીલર ગાડીમાં લઇ જવાની પરિવારજનોની ફરજ પડી હતી.

વૃધ્ધનું મોત કયા રોગથી થયું તે જાણી શકાયું નથી કારણ કે સારવાર પહેલા વૃધ્ધનું મોત નીપજ્યું હતું. આ કિસ્સામાં, જ્યારે તેણે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પોતાની જવાબદારીથી ઉપર ઉઠીને કહ્યું કે તેમને આ વિશે કોઈ જાણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *