રાજકારણ: શું PM મોદીને ભાજપના કોઈ નેતા પર નથી રહ્યો વિશ્વાસ? -પાંચ રાજ્યની ચુંટણી જીતવા માટે પોતે ખુદ ઉતરશે મેદાનમાં

ભાજપને જીત અપાવવા માટે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં PM નરેન્દ્ર મોદી ખુદ મેદાનમાં ઉતરવાના છે. PM નરેન્દ્ર મોદીએ પોતાની મોબાઈલ એપ્લિકેશન પર આ ચૂંટણીમાં ક્યા મુદ્દા મહત્વના છે તે અંગે લોકો પાસેથી સીધો પ્રતિસાદ માંગ્યો છે. આ પ્રકારના રાજકીય સર્વે વચ્ચે PM નરેન્દ્ર મોદીએ ઈલેક્શનનો એજન્ડા સેટ કરી દીધો છે.

PM નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવામાં સરકારની કામગીરી, કલમ ૩૭૦ અને રામમંદિર નિર્માણ જેવા પોતાની સરકારે લીધેલાં પગલાં અંગે તો લોકોના અભિપ્રાય માંગ્યા જ છે સાથે સાથે તેમણે રાજકીય બાબતો અંગે પણ અભિપ્રાય માંગ્યા છે. વિપક્ષી એકતાની તમારા મતવિસ્તાર પર અસર પડશે એવા મુદ્દે પણ અભિપ્રાય માંગ્યા છે.

સૌથી મોટી વાત એ છે કે, PM નરેન્દ્ર મોદીએ સીધો સવાલ પૂછયો છે કે, તમે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વના આધારે મતદાન કરશો કે પછી રાજ્ય કક્ષાના કે સ્થાનિક મુદ્દાને આધારે મતદાન કરશો? આ સિવાય ઉમેદવારો નક્કી કરવામાં મદદરૂપ થાય એવા સવાલો પણ પૂછયા છે.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાંચ રાજ્યની ચુંટણી જીતવા માટે મોદી ખુદ જ મેદાને ઉતરશે કે સાથે તેમના વિશ્વાસુ નેતાઓ પણ ઉતરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ રાજ્યોની ચુંટણીને લઈને પણ આગામી સમયમાં અનેક મહત્વના નિર્ણયો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *