પ્રસિદ્ધિની પરાકાષ્ઠા: જીવિત છે પૂનમ પાંડે, પબ્લિસિટી સ્ટંટ હતા મોતના સમાચાર, ખુદ લાઇવ આવીને કર્યો ખુલાસો

Poonam Pandey is Alive: પૂનમ પાંડેના કથિત નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. હવે, આ મૃત્યુની અફવાઓના બીજા જ દિવસે, પૂનમ પાંડે(Poonam Pandey is Alive)…

Poonam Pandey is Alive: પૂનમ પાંડેના કથિત નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. હવે, આ મૃત્યુની અફવાઓના બીજા જ દિવસે, પૂનમ પાંડે(Poonam Pandey is Alive) પોતે જીવંત અને રૂબરૂ સામે આવી છે. વીડિયો શેર કરીને તેણે સમજાવ્યું છે કે તેણે આ આખી ગેમ શા માટે બનાવી છે. વીડિયોમાં તેમણે કહ્યું કે,તેને સર્વાઈકલ કેન્સરની જાગૃતિ માટે આ પગલું ઉપાડ્યું છે.

2 ફેબ્રુઆરીએ તેના મોતની ખબર ફેલાવવામાં આવી હતી
2 ફેબ્રુઆરીની સવારે, પૂનમના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરવામાં આવી હતી કે તે હવે અમારી સાથે નથી અને સર્વાઇકલ કેન્સરને કારણે તેનું અવસાન થયું છે. આ સમાચારે લોકોને ખૂબ પરેશાન કર્યા કારણ કે તેના પર વિશ્વાસ કરવા માટે કોઈ પુરાવા નહોતા. હવે પૂનમ પાંડે પોતે શનિવારે સામે આવી છે. પૂનમે પોતાનો વિડીયો શેર કરીને જણાવ્યું છે કે તેને ‘હું સર્વાઇકલ કેન્સરને કારણે નથી મરી મેં મહિલાઓની જાગૃતિ માટે આ પગલું ભર્યું છે’

પોતે હયાત છે તેવો વિડીયો બહાર પાડ્યો
પૂનમે આ વીડિયોમાં કહ્યું છે કે, ‘હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુ નથી પામી. કમનસીબે, સર્વાઇકલ કેન્સરને કારણે જીવ ગુમાવનાર લાખો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી.આથી મહિલાઓમાં અને લોકોમાં જાગૃતિ આવે એટલા માટે મેં આ કામ કર્યું છે’.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

‘બધા ટેસ્ટ કરવા પડશે અને HPV રસી લેવી પડશે.’
તેણીએ આગળ કહ્યું, ‘હું તમને અહીં કહેવા માટે છું કે અન્ય કેન્સરની જેમ સર્વાઇકલ કેન્સર પણ રોકી શકાય તેવું છે. તમારે ફક્ત તમામ પરીક્ષણો કરાવવા અને HPV રસી લેવાની છે. અમે આ કરી શકીએ છીએ અને ખાતરી કરી શકીએ છીએ કે સર્વાઇકલ કેન્સરને કારણે વધુ મૃત્યુ ન થાય.

પૂનમે મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા
આ પોસ્ટ પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. કહેવાય છે કે પૂનમ પાંડેનું અવસાન થયું છે. તેનું કારણ સર્વાઇકલ કેન્સર છે, જેનાથી તે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહી હતી. આ પછી ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો હતો. યુઝર્સ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. તેણે કહ્યું કે આ ફેક ન્યૂઝ છે.પૂનમ પાંડેએ પોતાના મૃત્યુના સમાચાર જાણીજોઈને ખાસ હેતુથી ફેલાવ્યા છે. વાસ્તવમાં, અભિનેત્રીએ સર્વાઇકલ કેન્સરની રસીને પ્રમોટ કરવા માટે તેના મૃત્યુના સમાચાર ફેલાવ્યા હતા, તાજેતરમાં જાહેર કરાયેલી રસી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેણે આ પગલું ભર્યું છે. આ જ રસીના પ્રચાર માટે પૂનમે આવા સમાચાર ફેલાવ્યા છે.

લોકોનો ફૂટ્યો ગુસ્સો
તેમના જીવિત હોવાના સમાચાર સામે આવતા જ લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. નારાજગી વ્યક્ત કરતા, એક યુઝરે X પર લખ્યું, પૂનમ પાંડે જીવિત છે… જો તે જાગૃતિ ફેલાવવા માંગતી હોત તો તેણે એક અભિયાન ચલાવ્યું હોત… તેણે પોતાનું મૃત્યુ કેમ જાહેર કર્યું? જાગરૂકતા વધારવાની ખૂબ જ નબળી રીત…’ અન્ય યુઝરે લખ્યું, ‘ગર્ભાશયના કેન્સર વિશે જાગૃતિ વધારવી એ નિર્વિવાદપણે મહત્વપૂર્ણ છે, પરંતુ આ કારણોસર કોઈના મૃત્યુને બનાવટી બનાવવાનો નિર્ણય એક વિવાદાસ્પદ વ્યૂહરચના છે.

નૈતિક અસરો અને વિશ્વસનીયતા પર અસર એક બાબત છે. પૂનમનો વીડિયો શેર કરતી વખતે, એક યુઝરે લખ્યું, “પૂનમ પાંડે પર શરમ આવે છે. એક ઉમદા હેતુ માટે પણ મૃત્યુ જેવી સંવેદનશીલ વાત કરવી યોગ્ય નથી.” તે જ સમયે, એક વ્યક્તિએ આ પબ્લિસિટી સ્ટંટ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “જાગૃતિ ફેલાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર મહાન વ્યક્તિત્વને હું શ્રદ્ધાંજલિ આપું છું… હું આ માટે તેમને ભારત રત્ન આપવાની માંગણી કરું છું.”