મોદી સરકાર મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, અહીં ક્લિક કરીને કરો રજીસ્ટ્રેશન

કોરોનાના આ સંકટ કાળની સીધી અસર સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર પડી છે. આ દરમિયાન પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓના કલ્યાણ માટે જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં…

કોરોનાના આ સંકટ કાળની સીધી અસર સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર પડી છે. આ દરમિયાન પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓના કલ્યાણ માટે જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના તેમના માટે વરદાન સાબિત થઈ રહી છે.

જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં લાખો-કરોડો મહિલાઓએ આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફાયદો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. જો તમારે પણ આ લાભ લેવો છે તો આજે અમે તમને જણાવશું કે, આ યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવી શકાય છે.

હાલ દેશભરમાં મહિલાઓ અને નવજાત બાળકોના ભવિષ્યને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અનેક અગત્યના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા PMMVY યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવી રહેલી મહિલાઓને 5000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. 5000 રૂપિયા ત્રણ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવે છે. જણાવી દઈએ કે, 19 વર્ષથી પહેલા ગર્ભવતી થયેલી મહિલાઓને તેનો લાભ મળશે નહિ.

મળતી માહિતી મુજબ, Pradhan Mantri Matru Vandana યોજના હેઠળ પહેલીવાર ગર્ભવતી થતાં પોષણ માટે 5000 રૂપિયા ગર્ભવતીના ખાતામાં આપવામાં આવે છે. તેનો પહેલો હપ્તો 1000 રૂપિયાની ગર્ભધારણના 150 દિવસની અંદર ગર્ભવતી મહિલાના રજિસ્ટ્રેશન થતાં આપવામાં આવે છે. તેમજ બીજો હપ્તો 2000 રૂપિયા 180 દિવસની અંદર અને ઓછામાં ઓછા પ્રસવ પર્વ તપાસ થતા આપવામાં આવે છે. ત્રીજો હપ્તો 2000 રૂપિયા પ્રસવ બાદ અને શિશુના પ્રથમ રસીકરણનું ચક્ર પૂર્ણ થવા મળે છે.

જણાવી દઈએ કે, આ યોજનાનો લાભ એ મહિલાઓને મળે છે જે દૈનિક પગાર પર કામ કરી રહી છે કે પછી જેની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાવસ્થા દરમિયાન મજૂરીમાં થયેલા નુકસાનને ઓછું કરવાનો છે. આ આર્થિક મદદ મળવાથી ગર્ભવતી મહિલાઓને આરામ કરવાનો સમય મળી રહે છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ યોજનાનો લાભ એ મહિલાઓને નથી મળતો જે કોઈ પણ કેન્દ્રીય કે પછી રાજ્ય સરકારના ઉપક્રમ સાથે જોડાયેલી છે.

માતૃત્વ વંદના યોજના 2021 અંતર્ગત કેન્ર્ક સરકાર દ્વારા અરજીની પ્રક્રિયાને ઓનલાઇન કરવામાં આવી છે. એટલે કે, લાભાર્થી જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે. તેના માટે સૌથી પહેલા લાભાર્થીને www.Pmmvy-cas.nic.in પર લોગ-ઇન કરીને અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન છે, જેથી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *