પતિનો ચહેરો જોતા જ ગર્ભવતી પત્નીને આંબી ગયું મોત, સમગ્ર ઘટના સાંભળી ચોંકી ઉઠશો

Pregnant wife dies on seeing her husband: હત્યાના પ્રયાસના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા પતિને મળવા ગયેલી પત્ની પતિનો ચહેરો જોતા જ બેહોશ થઈ ગઈ હતી.…

Pregnant wife dies on seeing her husband: હત્યાના પ્રયાસના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા પતિને મળવા ગયેલી પત્ની પતિનો ચહેરો જોતા જ બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ તેને તરતજ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા 8 મહિનાની ગર્ભવતી હતી અને 27 જૂને તેની ડિલિવરી થવાની હતી. મૃતક મહિલાના દેવરે તેની ભાભીના મોતનું કારણ પોલીસ પ્રશાસનને જવાબદાર ગણાવ્યું છે. આ સમગ્ર ઘટના બિહારના ભાગલપુરની સ્પેશિયલ સેન્ટ્રલ જેલની છે.

આ સમગ્ર ઘટના ભાગલપુરની સ્પેશિયલ સેન્ટ્રલ જેલમાં 6 જૂને બની હતી. મળતી માહિતી અનુસાર ભાગલપુરના ઘોઘા ગોવિંદપુરના ગુડ્ડુ યાદવના લગ્ન 2 વર્ષ પહેલા ઘોઘા જાનીડીહની પલ્લવી યાદવ સાથે થયા હતા. બંનેએ લવ મેરેજ કર્યા હતા અને હાલમાં પલ્લવી 8 મહિનાની ગર્ભવતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુડ્ડુ યાદવનો વિનોદ યાદવ સાથે જમીનને લઈને વિવાદ થયો હતો. આ કેસમાં ગુડ્ડુ વિરુદ્ધ કલમ 307નો કેસ નોંધવામાં આવ્યો હતો, જેના કારણે તે છેલ્લા આઠ મહિનાથી ભાગલપુરની સ્પેશિયલ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે.

6 જૂને પલ્લવી તેના પતિ ગુડ્ડુને મળવા જેલમાં પહોંચી હતી. નંબર મળતા જ ગુડ્ડુ તેની સામે આવ્યો કે તરત જ પલ્લવી બેભાન થઈ ગઈ. આ પછી, તેને તરત જ માયાગંજ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી. અહીં તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પલ્લવીના મૃત્યુની સાથે જ તેના પેટમાં ઉછરી રહેલું બાળક પણ આ દુનિયામાં હવે રહ્યું નથી.

ડિલિવરીની તારીખ 27 જૂન હતી
મૃતક મહિલાના પરિવારના જણાવ્યા અનુસાર પલ્લવીની પ્રેગ્નન્સી આઠમા મહિનામાં ચાલી રહી હતી. ડૉક્ટરોએ પણ 27મી જૂનની ડિલિવરી ડેટ આપી હતી. પરંતુ તે પહેલા આ ઘટના બની હતી.

પોલીસની મનમાનીથી ભાભીનો જીવ ગયોઃ વિકી યાદવ
ગુડ્ડુના ભાઈ વિકી યાદવનું કહેવું છે કે પોલીસની મનમાનીને કારણે પલ્લવીભાભીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વધુમાં તેણે કહ્યું કે બીજી પાર્ટી પાસેથી પૈસા લઈને પોલીસે મારા ભાઈ ગુડ્ડુને જેલમાં મોકલી દીધો હતો. જો ભાઈ જેલમાં ના ગયા હોત તો કદાચ આ સ્થિતિ ના સર્જાઈ હોત, આજે અમારું આખું ઘર બરબાદ થઈ ગયું હતું. આ માટે માત્ર અને માત્ર પોલીસ પ્રશાસન જ જવાબદાર છે.

પલ્લવીના મૃત્યુ બાદ પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે સહમત ન હતા. આ પછી કાનૂની ઔપચારિકતા પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. પલ્લવીના પતિ અંતિમ સંસ્કાર માટે પોલીસ સુરક્ષામાં સ્મશાનગૃહ પહોંચ્યા હતા. ત્યારબાદ તેણે પત્નીની ચિતાને અગ્નિદાહ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *