PM મોદીના બંદોબસ્ત માટે ગયેલા PSIએ કર્યો આપઘાત- જાણો સુસાઇડ નોટમાં કોના પર લગાવ્યો આરોપ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસની ઉજવણી માટે નર્મદા કેવડિયા કોલોની ખાતે હાજરી આપી હતી. ત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત થી મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સુરક્ષા બંદોબસ્ત માટે મુકવામાં આવ્યો હતો. ત્યારે એક અણબનાવ બન્યો છે. જેમાં નવસારી પોલીસ માં એલ.આઇ.બી વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઇ નિલેશ ફિણવિયા એ એક સુસાઈડ નોટ લખીને સર્વિસ ગનથી માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળ્યું છે કે, નિલેશ ફિણવિયા એ આત્મહત્યા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે.

નવસારીના પીએસઆઇ નિલેશ મેળવ્યા કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાનના બંદોબસ્તમાં હતા. ત્યારે આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર પામી છે. સુસાઇડ નોટમાં ડીએસપી હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યા ની વાતો સૂત્રો પાસેથી મળેલ છે. વધુ હકીકત પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *