BSF હેડક્વાર્ટરમાં ગોળીબાર- પાંચ જવાન શહીદ, બે ગંભીર- ગોળી ચલાવનાર બીજું કોઈ નહી પણ…

પંજાબ(Punjab)ના અમૃતસર(Amritsar) સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) હેડક્વાર્ટરમાં એક જવાન ગુસ્સામાં આવી ગયો અને BSF હેડક્વાર્ટરમાં ગોળીબાર(Firing in BSF Headquarter)  કર્યો. આ ઘટનામાં ગોળી ચલાવનાર સહિત 5 જવાનો શહીદ થયા છે. સાથી ઘાયલ જવાનની સારવાર ચાલી રહી છે. તેની હાલત ગંભીર છે. આ ઘટના બાદ ગોળી મારનાર સૈનિકે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. ફાયરિંગ કરનાર આરોપી જવાનની ઓળખ મહારાષ્ટ્ર(Maharashtra)ના સુતપ્પા(Sutappa) તરીકે થઈ છે.

આ ઘટના પર BSFએ નિવેદન જાહેર કર્યું છે. BSFએ કહ્યું છે કે આ ઘટના અમૃતસરના હેડક્વાર્ટર 144 બટાલિયન ખાસામાં બની હતી. આ ઘટનામાં ગોળીબાર કરનારા સતપ્પા સહિત 6 જવાન ઘાયલ થયા હતા. જેમાંથી પાંચના મોત થયા છે, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. તેની હાલત ગંભીર છે. આ સાથે ઘટનાની કોર્ટ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જવાન ઓવરટાઇમ ડ્યુટીને કારણે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, જવાનનો તેના અધિકારીઓ સાથે ડ્યૂટીના સમયને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ ગુસ્સે ભરાયેલા જવાને રવિવારે પરિસરમાં ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને અન્ય સૈનિકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લગભગ એક ડઝન સૈનિકો ઘાયલ છે. બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અધિકારીઓ પણ આ મામલે હજુ કંઈ કહેવા તૈયાર નથી. મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. બીએસએફના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *