રેલવે મંત્રીની મોટી જાહેરાત- પ્રમુખસ્વામીને અંજલિ અર્પણ કરતા કહ્યું; અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ ટ્રેન હવે ‘Akshardham Express’ તરીકે ઓળખશે

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. ત્યારે ભારત સરકારના રેલવે, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રમુખસ્વામી નગરના દર્શનાર્થે આવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને ‘અક્ષરધામ એક્સપ્રેસ(Akshardham Express)’ તરીકે ઓળખવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ જુઓ શું કહ્યું:
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સમાજસેવાનું કાર્ય કર્યું છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવા મળ્યું તે મારું પરમ સૌભાગ્ય છે. આજે મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ આપતાં કહ્યું છે કે “દરેક કાર્યમાં સર્વોચ્ચ ધ્યેય સેવા હોવો જોઈએ” અને તેવી સેવા કરતા હજારો સ્વયંસેવકોના દર્શન આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયા છે. આજે સંપર્ક ક્રાંતિ ટ્રેનનું નામ બદલીને “અક્ષરધામ એકસપ્રેસ” રાખવાનું નક્કી કરીને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે મારી સેવાની ભાવના વ્યક્ત કરું છું.

મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જુઓ શું કહ્યું:
મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે નાના મોટા તમામને પ્રમુખસ્વામી અમારા છે, એવું લાગતું. પ્રમુખસ્વામી મહારાજે બાળકોને કહ્યું છે કે, તમે નિયમિત પૂજા કરો, સારી અભ્યાસ કરો, માતા પિતાને પગે લાગો એ અમારી સેવા છે. પ્રમુખસ્વામી મહારાજે વાલીઓને કહ્યું હતું કે,’જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહિ આપો તો તમારે સંપતિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.

વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *