પેરોલ પર છુટેલા આરોપીએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, એવા એવા ગુના કર્યા હતા કે…

હાલમાં રાજકોટ શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગુરૂવારે પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા હિતેશ સોલંકી નામના વ્યક્તિનું કણકોટ પાસે ત્રીજા માળેથી પટકાતા મૃત્યુ થયું છે. જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગરનો રહેવાસી હિતેશ સોલંકી ગુનામાં સજાના કામે રાજકોટ જિલ્લા જેલમાં હતો.

આ દરમિયાન તેને પેરોલ મળતા તે બહાર આવ્યો હતો. પેરોલ મળ્યા બાદ તે સમયસર જેલમાં પરત નહી ફરતા ગમે ત્યાં નાસતો ફરતો હતો.આ દરમિયાન આજે કાલાવાડ રોડ પર નિર્માણ પામી રહેલી બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ તત્કાલ અસરથી 108ની ટીમ તેમજ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટના સ્થળ પર પહોંચેલી 108ની ટીમ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતકની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં યુવાન વ્યક્તિગત મુળ રીતે સુરેન્દ્રનગરનો અને હિતેશ રામજીભાઇ સોલંકી હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં જાણવા મળ્યું છે કે, હિતેશ સોલંકી બિલ્ડિંગ સાઇટ પર મજુરી કામ કરતો હતો. હિતેશ સોલંકીને જેલ ટ્રાન્સફર કરી રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ પેરોલ પર છુટ્યા બાદ પેરોલનો સમય પુર્ણ થવા છતાં હાજર થયો નહોતો. આ દરમિયાન તે રાજકોટ શહેરમાં પોતાની ઓળખ છુપાવી મજુરી કરતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત હિતેશ સોલંકીને સંતાનમાં એક પુત્રી હોવાનું પણ સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *