પોતાની જ દુકાનમાં અગમ્ય કારણોસર ઉપલેટાનાં યુવાને આપઘાત કરીને જીવન સંકેલી લીધું

ગુજરાત: રાજકોટ શહેર (Rajkot city) પછી સમગ્ર જીલ્લામાં પણ આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલ શહેર (Gondal) પછી ઉપલેટામાં (Upleta) પણ આપઘાત (suicide) ની ઘટના સામે આવી છે. સમગ્ર શહેરમાં બસ સ્ટેન્ડ ચોક (Bus Stand Chowk) માં યુવાને દુકાનમાં આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા આ ઘટના વિશે ફરિયાદ નોંધીને યુવાને આપઘાત કયા કારણોસર કરી લીધો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે ઉપલેટા શહેરમાં આવેલ બસસ્ટેન્ડ ચોકની દુકાનમાં વૈભવ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક અસરથી એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી.

તાત્કાલિક અસરથી ઈમરજન્સી સેવાના અધિકારીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પણ યુવકને મૃત જાહેર કરી દેવાયો હતો. ત્યારપછી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો ત્યારે પોલીસે મૃતકના પરિજનોની પૂછપરછ પણ કરી હતી છે.

આખરે ક્યા કારણોસર યુવાનને આપઘાત કરવાની ફરજ પડી. હાલમાં પોલીસ તપાસમાં યુવકના આપઘાત અંગે શું કારણ સામે આવે છે તે જોવું ખુબ મહત્ત્વનું બની રહેશે. અહીં નોંધનીય છે કે, અન્ય એક ઘટનામાં ગોંડલ શહેરમાં આવેલ આસ્થા રેસિડેન્સીમાં રહેતી એક પરિણીતાએ પોતાના સાસરિયાઓના ત્રાસને લીધે આપઘાત કરી લીધાનો બનાવ પણ સામે આવ્યો હતો.

જયારે આ બનાવમાં મૃતક પરણિતાની માતા દ્વારા ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાતા મૃતક પરિણીતાના પતિ ચિરાગ બલદાણીયા તથા સાસુ-સસરા તેમજ દિયરની ધરપકડ કરી લેવાઈ છે. મૃતક પરિણીતાના માતા જણાવે છે કે, ફક્ત 3 મહિના પહેલા જ રાજીખુશીથી તેમને પોતાની દીકરીના પ્રેમ લગ્ન ગોંડલના આસ્થા રેસિડેન્સીમાં રહેતા ચિરાગ બલદાણીયા નામના આહિર સમાજના યુવાન સાથે થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *