હિંદુઓ ભારત મુકીને ભાગી જાવ કહેનારો ઝડપાયો, જાહેર સરઘસ કાઢીને રાજકોટ પોલીસે દેખાતી ‘પાકિસ્તાન પ્રેમી’ને ઓકાત

આજકાલ અવારનવાર હત્યામાં કેશ બની રહ્યા છે. ત્યારે ધંધુકા(Dhandhuka)માં કિશન ભરવાડ(Kishan Bharwad)ની હત્યા થયા પછી કોઈપણ જ્ઞાતિ અથવા કોઈપણ ધર્મ પણ સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી…

આજકાલ અવારનવાર હત્યામાં કેશ બની રહ્યા છે. ત્યારે ધંધુકા(Dhandhuka)માં કિશન ભરવાડ(Kishan Bharwad)ની હત્યા થયા પછી કોઈપણ જ્ઞાતિ અથવા કોઈપણ ધર્મ પણ સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી નહી કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આ અંગે માહિતી આપવા છતાં પણ રાજકોટના મુંજકા પાસે હાઉશિંગ ટાઉનશીપના રહેવાસી વકીલ દ્વારા શિવાજી અને હિંદુઓ વિશે વાંધાજનકની ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેના કારણે પોલીસ દ્વારા હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વિધર્મી વકીલની પૂછપરછ દરમિયાન તેનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે.

તેમજ મળતી માહિતી અનુસાર વધુમાં જાણવા મળ્યું છે કે, શહેરના મુંજકા પાસે આવેલ આવાસમાં રહેતા એક મુસ્લિમ જ્ઞાતિના વકીલ દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં શિવાજીને લૂંટારા કહેવામાં આવ્યા હતા તેમજ ગણપતિનું તોરણ અને ફ્રેમ તોડી નાખવામાં આવી, આ ઉપરાંત હિંદુઓને ભાગી જવાની ધમકી અને છરીથી ધમાલ મચાવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જયારે તેની પુછપરછ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ પણ થયા છે.

પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિધર્મી વકીલ સોહિલ મોરની પુછપરછ દરમિયાન પાકિસ્તાની મૌલવીઓના વીડિયો જોતા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પુછપરછ દરમિયાન તે જાણવા મળ્યું છે કે, તે ફક્ત પાકિસ્તાની મૌલવીઓના વીડિયો જ નહિ પરંતુ ધાર્મિક સાહિત્યનું પણ ખૂબ જ વાંચન કરતો તેમજ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોના પ્રભાવમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

જયારે ટાઉનશીપ દરમિયાન ભગવાન જય શ્રી રામના નારા લાગ્યા તેમજ રાજકોટમાં મુંજકામાં આવેલી હાઉસિંગ બોર્ડની ટાઉનશિપમાં વિધર્મી સોહિલએ કરેલ શિવાજીને લઈને કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ અંગે આરોપીનું ઘટનાસ્થળે જ રી-કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું હતું. આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ યુનિવર્સિટી પોલીસની ટીમો આરોપીને લઈને ટાઉનશીપ પહોંચી હતી અને ટાઉનશીપમાં પહોંચતા જ “જય શ્રી રામ” અને “હિન્દુસ્તાન જિંદાબાદ” ના નારા લગાવવામાં આવ્યા હતા.

વિધર્મી વકીલ સોહિલ મોરનો આ સમગ્ર મામલો શું છે?
વધુમાં જાણવા મળતું છે કે, બે દિવસ પહેલા જ મુંજકા ખાતેની શ્યામા પ્રસાદ મુખરજી ટાઉનશિપના વ્હોટ્સઅપ ગ્રુપમાં સોહિલ મોર નામના એક વિધર્મી વકીલ દ્વારા શિવાજીને લૂંટારુ તરીકે કહેવામાં આવ્યા હતા. આ અંગે વિરોધ કરતા ટાઉનશીપના લોકોને આ શખ્સે છરી લઈને દોડ પણ લગાવી હતી. આ બાબત આટલી જ ન હતી, જયારે ફ્લેટની બહાર મુકવામાં આવેલ ગણપતિની મૂર્તિને અને તોરણને નુકસાન પણ કર્યું હતું.

તેમજ આ વિધર્મી વકીલએ હિંદુઓના દેવી-દેવતા વિશે અભદ્ર ટિપ્પણી પણ કરી હતી. તેમજ વિધર્મી વકીલએ સોસાયટી હવે પાકિસ્તાન થઈ ગઈ હોવાનું પણ કહ્યું હતું અને અહીંથી તમામ હિંદુઓને ભાગી જાવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાને ધ્યાનમાં લેતા તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસએ આરોપીની ધરપકડ કરી હતી.

જયારે આ આરોપીએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો અને આ આરોપીને લઈને પોલીસ ટાઉનશીપ પહોંચી હતી, ત્યારે આ મામલો વધારે ઉગ્ર બન્યો. જયારે ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા કટ્ટરવાદી માનસિકતાના મૂળ માં કોણ છે? તેની તમામ તપાસ કરવા, રાજકોટમાં માહોલ ખરાબ કર્યો અને પાકિસ્તાન પ્રેમી તત્વો કેટલા છે? તેની તમામ શોધ કરવા માટે અને આરોપીને સખતમાં સખત સજા કરવા ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *