‘મમ્મી પપ્પા તમે અત્યારે જ ઘરે આવો’ કહી દીકરીએ કરી લીધો આપઘાત- રાજકોટની આ ઘટના રુવાડા બેઠા કરી દેશે

રાજકોટ(ગુજરાત): આજકાલ આત્મહત્યા(Suicide)ના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર રાજકોટ(Rajkot)માંથી એક આત્મહત્યાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાએ ગળાફાસો(Married woman suicide) ખાઈ…

રાજકોટ(ગુજરાત): આજકાલ આત્મહત્યા(Suicide)ના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર રાજકોટ(Rajkot)માંથી એક આત્મહત્યાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાએ ગળાફાસો(Married woman suicide) ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગળાફાંસો ખાતાના 15 મિનિટ પહેલા પરિણીતાએ પિતાને(dughter called parents before sucide) ફોન કરીને કહ્યું હતું કે, તમે અને મમ્મી અહીં આવો ને. ત્યારે પરિવાર જ્યારે દીકરીના સાસરે પહોંચ્યો ત્યારે તેમને દીકરી નહીં પરંતુ, દીકરીની લાશ જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, જસદણ તાલુકાના પોલારપર ગામે સાસરુ તેમજ પિયર ધરાવતી કૈલાશબેન ઉર્ફે કોમલ બેન મકવાણાએ શનિવારે બપોરના બાર વાગ્યા આસપાસ કોઈ કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. પત્નીએ ગળાફાંસો ખાધાની જાણ પતિને થતાં પતિએ તાત્કાલિક જસદણ પોલીસ મથકમાં આ બનાવ અંગે જાણ કરી હતી.

બાદમાં પોલીસને આત્મહત્યાના બનાવની જાણ થતા તાત્કાલીક પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને ત્યારબાદ પંખા સાથે લટકતી પરિણીતાની લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી આપઘાતનો કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે પરિણીતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્ન બે વર્ષ પહેલા હિતેશ મકવાણા સાથે થયા હતા.

મારી દીકરી અને મારા દીકરાના સામ સામેં લગ્ન નક્કી કર્યા હતા. જે બનાવ બન્યો તેના પંદર મિનિટ પહેલા જ તેનો ફોન આવ્યો હતો કે તમે અને મમ્મી બંને અત્યારે જ અહીં આવો. ફોન મળતાની સાથે છે અમે બંને પતિ-પત્ની ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ, રસ્તામાં જ અમારા જમાઈનો મારા પર ફોન આવ્યો હતો કે, તમારી દીકરીએ આ પ્રકારનું પગલું ભરી લીધું છે. બાદમાં અમે મારી દીકરીના સાસરીએ પહોંચે તે પહેલા જ દીકરી નહીં પરંતુ દીકરીની લાશ જોવા મળી હતી.

અ ઉપરાંત, સમગ્ર મામલે હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મારે અને મારી પત્ની અને કોઇપણ જાતનો પણ બનાવ ન હતો. હું બહારથી આવીને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે મેં મારી પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઇ હતી. હું આટકોટથી ગાડી લઈને કપડા બદલવા ઘરે આવ્યો હતો. જ્યારે ઘરે આવીને જોયું તો પત્નીએ ગળાફાંસો ખાઇ લીધો છે. અમારે સંતાનમાં કંઈ નથી અને કયા કારણોસર મારી પત્નીએ આ પ્રકારનું પગલું ભરી લીધું છે તે બાબતનો મને ખ્યાલ પણ નથી. આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *