RRR ફિલ્મના ‘રામ’ચરણ પાલતું શ્વાનના સ્વાસ્થ્ય માટે, 41 દિવસ સુધી કરશે બ્રહ્મચર્યનું પાલન

હાલના દિવસોમાં ‘RRR’ ફિલ્મ બોક્સ ઓફિસ(box office) પર ધૂમ મચાવી રહી છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં રામનું પાત્ર ભજવનાર રામચરણ(Ramcharan) એ બહારની જિંદગીમાં કંઈક એવું કાર્ય કર્યું છે કે તમને સાંભળીને ખૂબ ખુશી થશે. એક્ટર રામચરણ મુંબઈ એરપોર્ટ પર બ્લેક આઉટફિટ પહેરીને ખુલ્લે પગે ચાલતો જોવા મળ્યો હતો.

કેટલાક લોકોને પ્રશ્નો થયા હતા કે, રામચરણ ખુલ્લા પગે કેમ ચાલે છે? તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે રામ ચરણે તેમના પાલતુ કુતરા માટે એક બાધા રાખી હતી. જેમાં તેઓ 41 દિવસ સુધી બ્રહ્મચર્ય નું પાલન કરશે. સબરીમાલા અયપ્પાના આસ્તિક રામ ચરણ, સામાન્ય રીતે જ્યારે પણ શક્ય હોય ત્યારે 41-દિવસની ધાર્મિક વિધિ ‘દીક્ષા’નું પાલન કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રામ ચરણે દીક્ષા વિધિનું પાલન કરવા માટે શપથ લીધા હતા કારણ કે તેમનો પાલતુ કૂતરો બ્રેટ (Brett) થોડા સમય પહેલા બીમાર પડયો હતો. તે સમયે રામચરણ તેની પાસે હાજર ન હતો અને RRR ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતો. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં રામચરણ એ જણાવ્યું હતું કે મારા પાલતુ કૂતરાને ને ગુમાવી દીધો છે. તેના નિધનથી મને ખૂબ દુઃખ થયું હતું જેથી મારી પત્નીએ મને એક શ્વાન ભેટમાં આપ્યું છે તેનું નામ બ્રેટ છે.

રામચરણએ આગળ જણાવ્યું કે, બ્રેટ નો પગ થોડા દિવસો પહેલા તૂટી ગયો હતો તેથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાય અને તે ફરીથી દોડવાનું શરૂ ન કરે ત્યાં સુધી હું નોનવેજ નહીં ખાવ. અને ૪૧ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ. તેઓએ આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન શરૂ કરી દીધું છે, તેઓ રસ્તા પર ઉઘાડા પગે ચાલતા પણ જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *