ખેડૂતો માટે ખુશીના સમાચાર: ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય- જાણો જલ્દી

ગુજરાતના મુખ્યમંત્રી વીજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ પાછો ખેચાણો છે અને આવા સંજોગોમાં ખેડૂતોને સિંચાઈ અને પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે બુધવાર એટલે કે ૭ મી જુલાઈથી ખેડૂતોને વધુ બે કલાક માટે વીજળી આપવામાં આવશે.

હાલમાં રાજ્યના ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે ત્યારે હવે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જયારે હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તારીખ ૭ મી જુલાઈથી ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે.

તાઉતે વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રના 5 શહેરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહીત પાંચ શહેરોમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે. તાઉતે વાવાઝોડાને કારણે આશરે ૧૪૦૦ કરોડનું નુકસાન થયું હતું. જયારે બીજી બાજુ મુશ્ક્લીનો સામનો ન કરવો પડે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંડરગ્રાઉન્ડ કેબલથી વીજળી અંગેની પડી રહેલી મુશ્કેલીની ઘટનામાં ઘટાડો થશે. લોકોને મુશ્કેલી વગર વીજ પ્રવાહ મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *