કાળજા કેરો કટકો મારો હાથેથી છૂટી ગયો- ધોરણ 11માં ભણતી દીકરીએ ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવ આપી દીધો

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. હમણાથી જોવામાં આવે તો વિધાર્થીઓના આપઘાતમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. હમણાથી જોવામાં આવે તો વિધાર્થીઓના આપઘાતમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા સુરતમાં ધોરણ 12ની વિધાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ફરી એક વાર એક વિધાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સો ગોંડલ(Gondal)માંથી સામે આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતી અને માનસિક બીમારીથી પીડાતી સગીરાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં તો સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, ગોંડલના આંબરડી ગામે રહેતી અને ધોરણ 11 માં અભ્યાસ કરી રહેલ 17 વર્ષીય પુજા રવજીભાઈ પરમાર નામની સગીરાએ સવારે પોતાના ઘરે પંખાના હુંકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, સગીરા માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની સારવાર જામનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. દીકરીના પિતા છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં એકની એક દીકરીએ ફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *