શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સ્વયં આમંત્રણ રથમાં પધારશે તમારા દ્વાર, જાણો કેવી રીતે હનુમાનદાદા ફરશે 33 જીલ્લા

જગ વિખ્યાત સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરને (Kashtbhanjan Dev Salangpur Hanumanji) આ દીવાળીએ 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16થી 22 નવેમ્બર 2023ના સુધી સાળંગપુર ખાતે ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવ પહેલા હનુમાન દાદાના આશીર્વાદ લોકોને ઘરે બેઠા મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી (Salangpur Hanumanji) મંદિરથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું આજે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરના પૂજારી ડિ. કે. સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ પૂજાવિધિ કરીને કષ્ટભંજન દેવ કી જયના નારા સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું છે. મહત્ત્વનું છે કે, દાદા શતામૃત મહોત્સવનું આમંત્રણ આપતા હોય એવી ભાવના સાથે આ રથ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં ફરશે.

કઈ રીતે દાદાની પધરામણી કરાવી શકાશે?

Kashtbhanjan Dev Salangpur દાદાના આ દિવ્ય રથના રૂટમાં દરેક ભક્તો દાદાના દર્શન અને પધરામણી કરી શકે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લોકો 99253 60244 અને 9924150052 પર કોલ કરીને દાદાની પધરામણી કરાવી શકશે.

સાળંગપુરમાં 600 વિધા જમીનમાં શતામૃત મહોત્સવની ઉજવણી

ઐતિહાસિક શતામૃત મહોત્સવ અંગે વાત કરતાં કોઠારી વિવેકસાગર સ્વામીએ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, ”મંદિર પરિસરની નજીક કુલ 600 વિધાના વિશાળ પટ પર ઉજવાશે. આ મહોત્સવ દરમિયાન સંતો દ્વારા સવાર સાંજ કથા અને વ્યાખ્યાનનો કરાશે. આ ઉપરાંત બ્રાહ્મણો દ્વારા વૈદિકકાળની સ્મૃતિ કરાવતો દિવ્ય 75 કુંડી મારુતિ યજ્ઞ કરવામાં પણ કરવામાં આવશે.

કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ પર લાઈટ એન્ડ સાઉન્ડ શો

કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં કહ્યું કે, ”હિન્દુ ધર્મના સનાતન સંતોનું તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું વિશાળ સંમેલન કરવામાં આવશે. તો સાહિત્ય, રાજકીય, સામાજિક વ્યક્તિઓ પણ દાદાના દર્શને પધારશે. અને કિંગ ઓફ સાળંગપુર ખાતે દરરોજ રાત્રે અદ્ભુત લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે. આ ઉપરાંત હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત ભવ્ય અને સુંદર પ્રદર્શન પણ કરવામાં આવશે.”

સાળંગપુરધામમાં વિરાજીત હનુમાનજીની એનિમેટેડ ફિલ્મ બતાવાશે

શતામૃત મહોત્સવ અંગે વધુ જણાવતાં વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, ”શતામૃત મહોત્સવમાં બાળકોને પ્રેરણા મળે તેવી સાંસ્કૃતિક અને મનોરંજનપૂર્ણ બાલનગરી બનાવવામાં આવશે. સાળંગપુરધામમાં હનુમાનજી મહારાજનો મહિમા અને પ્રતિષ્ઠાને દર્શાવતું 30 મિનિટનું એનિમેશન મુવી બતાવવામાં આવશે. તો સ્ત્રી શક્તિને સન્માનિત કરતું મહિલા સંમેલન પણ કરવામાં આવશે.

હનુમાન ચાલીસા અને હનુમાન મંત્રનો અખંડ પાઠ કરાશે

વધુમાં કોઠારી વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, ”શતામૃત મહોત્સવમાં ભવ્ય લોક મેળો, આયુર્વેદિક એલોપેથિક મેડિકલ કેમ્પ, ફ્રી રોગ નિદાન કેમ્પ, વિધવા સહાય, બીજ મંત્ર હનુમાન ચાલીસા અને હનુમાન મંત્રનો અખંડ પાઠ, મહા અન્નકૂટ, ફૂડ પાર્ક, 175 સંતો ભૂદેવો દ્વારા સંહિતા પાઠ સહિત સભર હશે.”

175 દીકરીઓ માટે ઇ- સ્કૂટર અપાશે અને વિશાળ કેકનો વર્લ્ડ રેકોર્ડ કરાશે

અંતમાં કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં જણાવ્યું કે, આ શતામૃત મહોત્વ 175 દીકરીઓ માટે ઇ- સ્કૂટર, અખંડ ધૂન અને સુંદરકાંડ પાઠ, રાત્રે સંગીત, ડાયરો, કવિ સંમેલન, રાસ ગરબા જેવા વિવિધ કાર્યક્રમ અને બાળકોના પેઇન્ટિંગ, રંગોળી જેવા કોમ્પિટિશન અને વિશાળ કેકનો વર્લ્ડ રેકોર્ડ જેવા કાર્યક્રમો પણ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *