માંજરેકરે ફરી એકવાર રવીન્દ્ર જાડેજાને ટાર્ગેટ બનાવ્યો- કહી દીધું એવું કે…

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કમેંટેટર સંજય માંજરેકર ફરી એકવાર ચર્ચામાં છે. ખેલાડીઓ પર અવારનવાર ટિપ્પણી કરનારા માંજરેકરે તાજેતરમાં જ ઓફ સ્પિનર ​​આર.અશ્વિનને મહાન…

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કમેંટેટર સંજય માંજરેકર ફરી એકવાર ચર્ચામાં છે. ખેલાડીઓ પર અવારનવાર ટિપ્પણી કરનારા માંજરેકરે તાજેતરમાં જ ઓફ સ્પિનર ​​આર.અશ્વિનને મહાન બોલર માનવાનો ઇનકાર કરીને નવી ચર્ચા શરૂ કરી હતી. આ નિવેદન બાદ તેની સોશ્યલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. હવે તેણે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે, જેમાં તે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાની મજાક ઉડાવતા જોવા મળે છે.

ખરેખર સૂર્યનારાયણ નામના યુઝરે ટ્વિટર એકાઉન્ટ પર તેની ચેટ પોસ્ટ કરી છે, જેમાં સંજય માંજરેકર રવિન્દ્ર જાડેજાની મજાક ઉડાવી રહ્યા છે એમ કહીને કે, તેને અંગ્રેજી નથી આવડતું. ચાલો તમને જણાવી દઈએ કે, આ વસ્તુ ત્યારે શરૂ થઈ હતી જ્યારે સૂર્યનારાયણે અશ્વિનને લઈને સંજય માંજરેકરના નિવેદનને કચરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માંજરેકર ફક્ત બકવાસ હેડલાઇન્સમાં રહેવા માંગે છે અને એમ પણ ઉમેર્યું હતું કે, અશ્વિનની સામે માંજરેકર 10 ટકા પણ નથી.

પોતાના ટ્વિટનો વ્યક્તિગત રીતે જવાબ આપતા માંજરેકરે લખ્યું કે, ‘તમે પણ મારા વિશે કશું બોલી ન શકો, કેમ કે તમે મારાનો 1 ટકા પણ નથી.’ આ પછી યુજરે જાડેજાનું ઉદાહરણ માંજરેકરને આપ્યું અને કહ્યું કે, જાડેજાએ તમને સારો જવાબ આપ્યો હતો. આ કહેતાની સાથે જ માંજરેકર ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં જવાબ આપ્યો કે, ‘તમે મારા પચે એવી આશા રાખો છો કે હું પણ તમારી જેમ ખેલાડીને પૂજા કરીશ. હું ફૈન નથી, હું એનાલીસ્ટ છું અને રવિન્દ્ર જાડેજાને અંગ્રેજી આવડતું નથી, તેથી મેં તેમને કહ્યું તેનો અર્થ પણ તે જાણતો ન હતો અને કોઈએ તેમને મૌખિક શબ્દનો અર્થ જણાવ્યો હશે’.

તમને જણાવી દઈએ કે, 2019 વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે જાડેજાને બીટ અને ટુકડોમાં રમવા વાળો ક્રિકેટર ગણાવ્યા હતા. યુઝરે લખ્યું હતું કે, માંજરેકર પોતાની તથ્ય વગરની વાતો કરીને હેડલાઈનમાં રહેવાની કોશિશ કરતો હોય છે. માંજરેકર રવિચંદ્રન અશ્વિનના 10 ટકા જેટલો પણ નથી. ત્યાર પછી સંજય માંજરેકરે પર્સનલ મેસેજ કરીને આ યુઝરને જવાબ આપ્યો હતો.

આ ચેટને યુઝરે પોસ્ટ કર્યું હતું. સંજય માંજરેકરે યુઝરને એના ટ્વીટનો જવાબ આપતાં કહ્યું હતું કે તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારી તુલનામાં 1 પ્રતિશતમો ભાગ પણ નથી. ત્યાર પછી યુઝરે માંજરેકરને 2019ની વાત યાદ અપાવી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ તેની ઝાટકણી કાઢી હતી.

માંજરેકરે જાડેજાની પણ મજાક ઉડાવી
યુઝરના આ મેસેજ પછી માંજરેકર ભડક્યો અને તેણે જાડેજા અંગે ટિપ્પણી કરી હતી કે તું મારી પાસે એવી આશા રાખે છે કે તારી જેમ હું પણ ક્રિકેટરોની પૂજા કરું. હું ફેન નથી, નિષ્ણાત છું અને જાડેજાને અંગ્રેજી ભાષા નથી આવડતી એટલે તે વાતનો યોગ્ય તાત્પર્ય સમજી શક્યો નહોતો. મેં તેને જે કહ્યું હતું (બિટ્સ એન્ડ પીસ ક્રિકેટર) એનો સાચો અર્થ પણ તે સમજી શક્યો નહોતો. આ દરમિયાન કોઈકે વર્બલ ડાયેરિયાનો અર્થ પણ તેને જણાવ્યો હશે.

2019નો જાડેજા-માંજરેકર વિવાદ
વર્ષ 2019માં માંજરેકરે ટિપ્પણી કરી હતી કે જાડેજા વનડે ફોર્મેટ માટે એક યોગ્ય ખેલાડી હોવાના માપદંડો પર ખરો ઊતરી શકે તેમ નથી. માંજરેકરે જાડેજાને ટેસ્ટ મેચનો બોલર જાહેર કર્યો હતો. માંજરેકરે કહ્યું હતું કે ‘હું બિટ્સ એન્ડ પીસ ખેલાડીઓનો મોટો પ્રશંસક નથી, જે 50 ઓવરના ફોર્મેટમાં જાડેજા છે. ટેસ્ટ મેચમાં તે ફક્ત એક બોલર છે, પરંતુ 50 ઓવરના ફોર્મેટમાં મારી પાસે એક બેટ્સમેન અને એક સ્પિનર હોવો જોઈએ’

જાડેજાએ પણ વળતો જવાબ આપ્યો હતો
માંજરેકરના આ ટ્વીટ અંગે જાડેજાએ કહ્યું હતું કે તેમ છતાં મેં તમારાથી વધારે મેચ રમી છે, આમ કહો તો બમણી મેચો રમી છે અને અત્યારે પણ ટીમનો ભાગ છું. તમે એ લોકોનું સન્માન કરતા શીખો, જેણે સન્માન પ્રાપ્ત કર્યું છે. મેં તમારા વર્બલ ડાયેરિયા અંગે ઘણું સાંભળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *