સત્યનારાયણ કથાની પ્રસાદી ખાઈને એક સાથે 80 લોકો બીમાર પડતા આખું ગામ દોડતું થયું- જાણો કયાની છે ઘટના

મુંગેર: બિહાર રાજ્યના મુંગેરમાં પ્રસાદ ખાવાથી એક સાથે ૮૦ લોકોની તબિયત બગડતા સમગ્ર ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર મામલો કોઠવા ગામનો છે. જ્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં લોકો જોડાયા હતા અને કથા પૂર્ણ થયા બાદ લોકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. જેને ખાધા બાદ લોકોની તબિયત બગડવા લાગી હતી અને અંદાજે ૮૦ લોકોની તબિયત બગડી ગઈ હતી. ગામના લોકોને પેટમાં દુખવું અને ઉલટી જેવી ફરિયાદ હતી.

આ ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ ગામમાં દોડી આવી હતી અને ગામ લોકોની સારવારમાં લાગી ગઈ હતી. મળતી માહિતી અનુસાર કોઠવા ગામના રહેવાસી મહેશ કોડાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં મોટી સંખ્યામાં દલિત અને આદિવાસી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કથા પૂરી થયા બાદ લોકોને ભગવાનનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાતાની સાથે જ ગામના લોકોને ઉલટી થવાની અને પેટમાં દુખવાનું શરુ થાય ગયું હતું. આ સ્થિતિને જોઇને ગામના ડોક્ટરને બોલાવીને સારવાર માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણા ખરા ગામના લોકોની હાલત બગડતા ગામ લોકોએ આ વાતની જાણ પોલીસને અને ધરહરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી હતી.

ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક આરોગ્ય ટીમે લઈને કોઠવા ગામે પહોચી ગઈ હતી અને તમામ બીમાર પડેલા લોકોની સારવાર શરુ કરી હતી. ભગવાનનો પ્રસાદ ખાઈને બીમાર પડેલા ૧૫ લોકોની હાલત વધુ ખરાબ થતા એમ્બ્યુલન્સથી આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આ લોકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *