રાજ્ય સરકારની જાહેરાત- જાણો ક્યારે ખુલશે શાળા, અને કેવી રીતે આપવાની થશે કોલેજની પરીક્ષા

ગુજરાત શિક્ષણ જગત માટે મોટા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી બાળકો ઘરે બેઠા બેઠા વેકેશનની મજા મા ણી રહ્યા છે. તમને જણાવી દઈએ કે…

ગુજરાત શિક્ષણ જગત માટે મોટા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી બાળકો ઘરે બેઠા બેઠા વેકેશનની મજા મા ણી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે સમગ્ર ભારત લોકડાઉન હોવાથી શાળા-કોલેજો બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ ધીરે-ધીરે ઘણું ખુલી રહ્યું છે. તો સૌથી મોટો સવાલ છે કે શાળા-કોલેજો ક્યારે ખુલશે. ત્યારે આવા સમયે રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની બુધવારના રોજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું નક્કી થયું છે કે, રાજ્યમાં ધોરણ 1થી 12ની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય, પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલે વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો શિક્ષકો પહોંચાડશે. જ્યારે કોલેજો માટે એ‌વો પરિપત્ર કરવામાં આવ્યો છે કે, સેમેસ્ટર 3, 5 અને 7નું ઓનલાઇન શિક્ષણ 21મી જૂનથી આરંભાશે.

કેબિનેટની મળેલી બેઠક પછી શિક્ષણ વિભાગની મળેલી બેઠકમાં શાળાઓ ક્યારથી ચાલુ કરવી, પ્રવેશ સહિતની બાબતોને લઈને ચર્ચા થઇ હતી, જેમાં એ‌વું નક્કી થયું હતું કે, પ્રાથમિકના આશરે બે લાખ અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિકના આશરે 1.25 લાખ મળીને કુલ સવા ત્રણ લાખ શિક્ષકો આશરે 1,46,84,055 વિદ્યાર્થીના ઘરે પુસ્તકો પહોંચાડશે. ઉપરાંત વિદ્યાર્થીઓને દૂરદર્શન જેવી ચેનલ મારફત ઓનલાઇન શિક્ષણ આપવાનો પણ આરંભ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *