50 મુસાફરો નિંદ્રાધીન હતા ને અચાનક બસમાં લાગી ભયંકર આગ- ગભરાટમાં એક માતાએ બંને બાળકોને બારી માંથી ફેંકી દીધા

રાજસ્થાન: સિરોહીના પાલડીમાં હાઇવે પર મંગળવારે વહેલી સવારે ચાલતી બસમાં આગ લાગી હતી. બસમાં 50 મુસાફરો હતા. અકસ્માત સમયે મોટાભાગના લોકો ઉંઘી રહ્યા હતા. ડ્રાઈવરે એન્જિનમાં લાગેલી આગ જોઈ ત્યારે તેણે એક બાજુ બસ રોકી અને બૂમો પાડીને મુસાફરોને જગાડ્યા હતા. બસમાં આગ લાગતા મહિલાઓએ પોતાનો જીવ બચાવવા માટે બાળકોને બારીમાંથી ફેંકી દીધા હતા.

અકસ્માતમાં જીવ બચી ગયો હતો, પરંતુ મુસાફરોનો સામાન અને રોકડ બળી ગઈ હતી. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લીધી હતી. સ્ટેશન ઓફિસર માયા પંડિતે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે કિસાન ટ્રાવેલ્સની બસ 50 મુસાફરો સાથે જયપુરથી અમદાવાદ માટે રવાના થઈ હતી.

મંગળવારે સવારે સાડા ત્રણ વાગ્યે સિરોહીના અરઠવાડા કટ પર બસના એન્જિનમાં આગ લાગી હતી અને આખી બસ આગની જ્વાળામાં ઘેરાઈ ગઈ હતી. પોતાનો જીવ બચાવવા બસમાંથી નીચે ઉતરવાની દોડધામ ચાલી હતી. એક મહિલા મુસાફરે જણાવ્યું હતું કે, તે અજમેરથી બેઠી હતી. તેની સાથે બાળકો પણ હતા. જ્યારે તે આગ જોઈને ડરી ગઈ ત્યારે તેણે બાળકોને બારીમાંથી બહાર ફેંકી દીધા હતા. તેને બસની બહાર ઉભેલા ગ્રામજનોએ સંભાળ્યો હતો.

થોડા જ સમયમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આખી બસ સળગી ગઈ હતી. માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડનું વાહન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આશરે 20 મિનિટની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આગની ભીષણ આગથી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ડ્રાઈવર કૃષ્ણકુમારની સમજને કારણે જાનહાનિ બચી હતી. તમામ મુસાફરોને અલગ અલગ ટ્રેનો દ્વારા અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *