શિવસેનાના તીખા તેવર: બેરોજગારી મામલે મોદીસરકાર સામે ઉભા કર્યા આ પ્રશ્નો, જાણો વધુ

શિવ સેના એ લખ્યું કે ,’બેરોજગારી નું સંકટ જો આમને આમ વધતું રહ્યું તો શું કરવું પડશે,આના પર ખાલી ચર્ચા કરીને કે વિજ્ઞાપન કરીને કઈ…

શિવ સેના એ લખ્યું કે ,’બેરોજગારી નું સંકટ જો આમને આમ વધતું રહ્યું તો શું કરવું પડશે,આના પર ખાલી ચર્ચા કરીને કે વિજ્ઞાપન કરીને કઈ ફાયદો નહિ થાય ,કામ કરવું પડશે .દેશ માં બેરોજગારી ની જ્વાળા બાળકી ઉઠી છે.’

શિવસેના નું મુખપત્ર ‘સામના’ માં દેશ ની આર્થિક સ્થિતિ અને નોકરી ને લઇ ને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.સામના માં લખ્યું છે,દિલ્લીમાં નવી સરકાર ના કામ માં જોડાવાનું દ્રશ્ય તૈયાર થઇ ચુક્યું છે.આ દ્રશ્ય પર ચુનોતી ના કાળા ધાબા સ્પષ્ટ દેખાવા લાગ્યા છે.દેશ ની આર્થીક સ્થિતિ સ્પષ્ટ રીતે બગડેલી નજર આવી રહી છે.આસમાન પણ ફાટેલું દેખાઈ રહ્યું છે તેથી સિલાઈ ક્યાંથી કરાવી એ પણ મુશ્કેલી છે.મોદી સરકાર આવી રહી છે એટલે સટ્ટા બજાર અને શેર બજાર માં હલચલ થઈ રહી છે પરંતુ જીડીપી પડી રહ્યું છે અને બેરોજગારીનો ગ્રાફ પણ વધી રહ્યો છે આ કોઈ સારા સંકેત નથી.

શિવસેનાએ લખ્યું કે બેરોજગારીનો સંકટ આમને આમ વધતો  રહેશે તો શું કરવું પડશે ,આના પર ચર્ચા કરીને કે વિજ્ઞાપનો આપી ને કોઈ ફાયદો નહીં મળે. કામ કરવું પડશે દેશમાં બેરોજગારી ની જ્વાળા ભડકી ઉઠી છે.

લેખમાં લખ્યું કે નેશનલ સેમ્પલ સર્વેના આંકડાઓ અનુસાર 2017 – 18 માં બેરોજગારીનો દર 6.3 ટકા પહોંચી ગયો છે .પાછલા 45 વર્ષોનો આ સર્વોચ્ચ આંકડો છે કેન્દ્રીય શ્રમિક મંત્રાલય પણ આના પર હવે મોહર લગાવી દીધી છે. જ્યારે આંકડા સરકારના છે અમારા નથી  .એવું શ્રી નીતિન ગડકરીએ કહ્યું છે .અમે તેમના વિચાર સાથે સહમત છીએ પરંતુ દર વર્ષે બે કરોડ રોજગાર પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું હતું  અને એ હિસાબથી પાછલા પાંચ વર્ષમાં કમસેકમ દસ કરોડ રોજગારી ઓનું લક્ષ્ય પાર કરવું જોઈતું હતું જો એ હતું દેખાઈ નથી રહ્યું અને આ જવાબદારી નેહરુ-ગાંધી ઉપર નાખવામાં આવી રહી છે.

Bsnl કર્મચારીઓની પણ વાત કરવામાં આવી

પાર્ટીએ તેના મુખ પત્ર માં લખ્યું., હકીકત એવી છે કે રોજગાર નું નિર્માણ નિરંતર ઘટી રહ્યું છે. કેન્દ્રર સરકારની નોકરી ભરતી માંં 30 થી 40 % નો ઘટાડો આવ્યો છે.2016-17 માં કેન્દ્ર સરકાર દ્વારા એક લાખ નોકરી ની ભરતી કરવામાં આવી છે. 2017 -18 માં ખાલી 70000 ને ભરવામાં આવ્યા. આમાં upsc અને સ્ટાફ સિલેક્શન ની ભરતી પણ છે. તે રેલવેની ભરતી અને બેન્કની ભરતી ઓ ના આંકડા પણ નીચા આવ્યા છે.  મધ્યમ લઘુ અનેે સૂક્ષ્મ ઉદ્યોગોની અવસ્થા હાથગાડી થી પણ ખરાબ થઈ છે. સરકારનો અધિકાંશ સાર્વજનિક ઉપકરણ બંધ છે અથવા તો નુકસાની માં ચાલી રહ્યો છે.

લેખમાં આગળ લખ્યું છે કે, bsnl ના હજારો કર્મચારીઓ પર બેરોજગારીનો કહર થઈ રહ્યો છે. નાગરિક હવાઈ આયાત વ્યવસાયનો પણ એવી રીતે બાર વાગ્યા છે કે જેટ કર્મચારીઓ ના રોજ થનાર આંદોલનનો થી સ્પષ્ટ થઇ ગયું છે. નવા હવાઈ અડ્ડા બન્યા પણ ત્યાંથી પર્યાપ્ત ઉડાન નથી ભરવામાં આવી રહી.રોડ નિર્માણ નું કાર્ય પણ જોરોથી ચાલી રહ્યું છે. થશે પણ ત્યાં પણ તકેદારી અને અસંગઠિત જ મજૂર વર્ગ છે. ત્યાં સારી રોજગાર નથી. સવાસો કરોડ દેશમાં 30 કરોડ લોકોને કામ જોઈએ છે .અને સરકારી સ્તર પર ખાલી એક લાખ નોકરી ની ભરતી થઈ છે.

શિવસેના એ સરકારી અકડાનો હવાલો દેતા કેન્દ્ર ની મોદી સરકારને સવાલ કર્યો,તે લેખ માં આગળ લખ્યું , સરકારી આંકડા શુ કહી રહ્યા છે તેમને જુઓ.2015-16 માં 37 લાખ નોકરીની જરૂરત હતી જ્યારે પ્રત્યક્ષ રૂપ થી 1 લાખ 48 હજાર લોકો ને નોકરી મળી. પ્રધાનમંત્રીની પ્રેરણાથી કૌશલ્ય વિકાસ યોજના શરૂ થઈ તેનું નિશ્ચિત રૂપથી શું થયું એ શોધનો વિષય છે. દેશની અર્થવ્યવસ્થા તેજીથી વધી રહી છે એવું સરકાર કહે છે પણ વિકાસનો દર ઘટી રહ્યો છે અને બેરોજગારી વધી રહી છે એ પણ એટલું જ સાચું છે. શહેરી ક્ષેત્રના 18 થી 30 વર્ષની ઉંમરના 19 ટકા છોકરાઓ બેરોજગાર છે છોકરીઓમાં આ ટકાવારી 27.2 ની છે. કૃષિ રોજગાર દેવાવાળો ઉદ્યોગ હતો તે પણ હવે માર ખાઈ રહ્યો છે પાછલા પાંચ મહિનામાં ખાલી મરાઠાવાડા માંથી જ 315 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. હાં ઉસાર સંપૂર્ણ મહારાષ્ટ્ર અને દેશની તસ્વીર દેખાઈ રહી છે ખેતી બળી ગઇ અને હાથમાં કામ નથી રહ્યા. આદુ ચક્રમાં ફસાયેલા ખેડુતોએ નવી આશાઓ સાથે મોદીને મતદાન કર્યું છે.

સામનામાં આગળ લખ્યું છે, “મોદી હે તો મુમકિન હૈ” આ મંત્ર પર વિશ્વાસ રાખી કરોડો બેરોજગાર યુવાનોને પણ મોદીની જીત માં પોતાનો સહયોગ આપ્યો છે તેથી પાછલા પાંચ વર્ષોમાં રોજગાર નિર્માણ માં આવેલી ગિરાવટ ને રોકી 2019માં બેરોજગારોને કામ દેવું એ જ એક જેવું હોવું જોઈએ. વિદેશી રોકાણના આંકડાઓ ઘણી વખત ખોટા હોય છે એ પણ લાભ અને નુકસાન નો વ્યવહાર છે આનાથી બેરોજગારીનો રાક્ષસ ખતમ થશે? નવા ઉદ્યોગો, બંદરો, રોડ, હવાઈમથકો, યાતાયાત જેવા ક્ષેત્રોમાં રોકાણ થયું તો જ બેરોજગાર લોકોને રોજગાર મળશે અને જીડીપી વધશે. દેશમાં બુલેટ ટ્રેન પણ આવી રહી છે. તેમાં એક વ્યક્તિને પણ રોજગાર નહીં મળે રાફેલ ઉદ્યોગમાં પણ રોજગાર ની મોટી તક છે. ચીનમાં કામ કરવાવાળી ત્રણસો અમેરિકી કંપનીઓ પણ ત્યાંથી બોરીયા વિસ્તાર બાંધી હિન્દુસ્તાન આવી રહી છે એવી તસવીર ચૂંટણી પહેલા દેખાડવામાં આવી હતી પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રીય ક્ષ એ હિન્દુસ્તાન સાથે વ્યાપારિક પ્રતિબંધ લગાવી દીધો છે આ દ્રશ્ય ભ્રમ પેદા કરવાવાળું છે. મોંઘવારી બેરોજગારી ઘટતું ઉત્પાદન અને બંધ થતા ઉદ્યોગો આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. શબ્દ ભ્રમની રમત-રમતમાં બેરોજગારી નહી કપાય. વ્યવસ્થા સંકટમાં છે નવા અર્થ મંત્રીને વિચારવું જોઈએ કે આનો રસ્તો કેવી રીતે કાઢવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *