સુરતમાં તસ્કરોને નથી રહ્યો ભગવાનનો પણ ડર, મંદિરમાંથી દાન પેટી લઈને થયા ફરાર- જુઓ CCTV ફૂટેજ

અવારનવાર આપણે સૌ ચોરીના કિસ્સા વિશે સાંભળતા હશું. જેમાં ક્યારેક ચોર ભગવાનનો પણ ડર રાખ્યા વગર મંદિરમાંથી ચોરી કરતો હોય છે. ત્યારે હવે આવી ઘટના સુરત શહેરથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

સુરતમાં ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે હવે ચોરો મંદિરને પણ છોડતા નથી. ત્યારે આવી જ એક ઘટના સુરતના ખરવાસા ગામ વિસ્તારમાં બની છે. જેમાં તસ્કરો દ્વારા ખરવાસા ગામ વિસ્તારમાં એક મંદિરને નિશાન બનાવ્યું હતું. ખરવાસા રોડ પર આવેલા મંદિરમાં આ તસ્કરો ત્રાટક્યા હતા.

તસ્કરો ખરવાસા ગામ વિસ્તારમાં એક મંદિરમાં આવીને તેમાંથી આખેઆખી દાનપેટી ઉઠાવીને ફરાર થઇ ગયા હતા. જયારે તસ્કરો દાનપેટીમાં રહેલા રૂપિયો ચોરી કરીને દાનપેટી ખરવાસા ગામના કોઈ ખેતરમાં નાખીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સીસીટીવીમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે તસ્કરો મંદિરની અંદર ઘૂસીને દાન પેટીને લઈને ફરાર થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

આ સમગ્ર ઘટનાની સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાન કરવામાં આવી છે. જયારે પોલીસે ઘટના સ્થળે પહોચીને અને સીસીટીવીને આધારે  આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *