જન્મ આપનારા માતા-પિતા જ બન્યા દીકરાની મોતનું કારણ, એવું તો શું થયું કે…

પુત્રના અત્યાચારથી કંટાળીને માતા-પિતાએ એવું પગલું ભર્યું, જેને સાંભળીને બધા ચોંકી જશે. પુત્રના અત્યાચારથી પરેશાન થઈને માતા-પિતાએ તેની હત્યા કરવાનું નક્કી કર્યું. આ માટે માતા-પિતાએ 8 લાખ રૂપિયામાં 5 લોકોને તેના પુત્રને મારી નાખવાની સોપારી આપી હતી. એટલું જ નહીં, હત્યા(Murder) બાદ માતા-પિતા પણ પોલીસને ગેરમાર્ગે દોરતા રહ્યા. પરંતુ તેની એક ભૂલને કારણે પોલીસ તેના સુધી પહોંચવામાં સફળ રહી હતી.

આ ચોંકાવનારો કિસ્સો તેલંગાણાના સૂર્યપેટના તિરુમાલાગીરીનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેલંગાણાના ખમ્મમના સત્તુપલ્લીના રહેવાસી ક્ષત્રિય સાઈનાથ (26)ની હત્યાના સંબંધમાં તેની માતા, પિતા અને કાકા સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાઈનાથ કથિત રીતે તેના માતા-પિતાને હેરાન કરતો હતો. જેના કારણે તેના પિતા રામ સિંહ અને માતા રાનીબાઈએ તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

હુઝુરનગર પોલીસના જણાવ્યા અનુસાર, રામ સિંહ અને તેની પત્ની પુત્રના વર્તનથી નારાજ હતા અને તેના દ્વારા કરવામાં આવતા અત્યાચારથી કંટાળી ગયા હતા. આવી સ્થિતિમાં પુત્રને મારવા માટે 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી. 5 લોકોએ સાંઈનાથની દોરડા વડે ગળું દબાવી હત્યા કરી અને લાશને મુસી નદીમાં ફેંકી દીધી. જ્યારે સ્થાનિક લોકોએ નદીમાં મૃતદેહ જોયો તો તેમણે પોલીસને જાણ કરી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસને સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે લાશને ફેંકવા માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

10 દિવસ પછી પોલીસે લાશની ઓળખ માટે માતા-પિતાને હોસ્પિટલ બોલાવ્યા. આ પછી મૃતદેહ તેને આપવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે પાછળથી માતા-પિતાને પૂછપરછ માટે બોલાવ્યા, ત્યારે તેઓ તે જ વાહનમાં પહોંચ્યા જેનો ઉપયોગ મૃતદેહના નિકાલ માટે કરવામાં આવ્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે પુત્રના ત્રાસથી નારાજ થઈને તેણે તેને 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી. પોલીસે આ કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *