ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓએ પાઠવ્યો દેશને સંદેશો

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સામાજિક, પર્યાવરણીય અને સંસ્કૃતિ નવીનીકરણની જરૂરિયાતમાં દેશ અને વ્યવસ્થાપન સાથે કદમ મિલાવી થતી હોય છે. ગુરુકુળના મહંત પ. પૂ. સદ. શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણા, પ્રોત્સાહન અને સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે.

આવી જ રીતે ભારતના પર્યાવરણની સ્થિતિ દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે.પ્લાસ્ટિક રૂપી રાક્ષસ જ્યારે ધરતી ની ફળદ્રુપતા અને સુંદરતા હણી રહ્યો છે, એવા સમયે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ભારત ની એક જ્યોત આજરોજ ગુરુકુલમાં પ્રગટી છે.મેયર શ્રી જગદીશભાઈ અને પરમ પૂજ્ય શ્વેતસ્વામી ના અધ્યક્ષ સ્થાને આજે ગુરુકુળ પરિસરમાં મેઘા ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન થયું હતું. કુલ મળી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ 25 મીટર X 27 મીટર ની આકૃતિ દ્વારા સમાજને સંદેશો પાઠવ્યો અને ભારતને “પ્લાસ્ટિક મુક્ત બનાવીને જ રહીશું” એવી પ્રતિજ્ઞા સાથે સંકલ્પ કર્યો, સાથે 800 વિદ્યાર્થીઓએ મેગા ડ્રોઈંગ કોમ્પીટીશન માં ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *