વ્યાજખોરોના ખપ્પરમાં હોમાયો સુરતનો વધુ એક રત્નકલાકાર- સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, તેનો મિત્ર જ….

સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં એક રત્નકલાકારે વ્યાજખોર(Usury)ના ત્રાસથી કંટાળીને અને આર્થિક ભીંસમાં આવીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને થયા તે પણ દોડતી થઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં કરવામાં આવેલ ઉલ્લેખ અનુસાર આપઘાત કરનાર રત્નકલાકાર 1 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વ્યાજના વિષચક્રનો ભોગ બન્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને આપઘાત પાછળ દુષ્પ્રેરણાનો ગુનો, મની લોન્ડરિંગનો ગુનો અને છેતરપિંડીનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા રત્નકલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે વહેલી સવારે રત્નકલાકારે આપઘાત કર્યો હોવાની જાણ પોલીસને થઈ હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસને તપાસ દરમિયાન કમલેશ રાદડિયાએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કમલેશ રાદડિયાએ જણાવ્યા અનુસાર જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલે જણાવતા કહ્યું હતું કે, મૃતકના જૂનાગઢમાં રહેતા મિત્ર હિરેન નામના વ્યક્તિ દ્વારા કમલેશ રાદડિયા સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેના મિત્રએ છેતરપિંડી કરીને એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ મેળવી હતી. જેને કારણે હિરેન પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા.

ઉલ્લેખનીય છે કે, હિરેને વધારે પૈસા કમાવી આપીશ તેવી લાલચ આપી હતી. તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા સબંધીઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને આ હિરેનને આપી દીધી હતી. ત્યાર પછી જૂનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા પણ આપતો ન હતો અને આપવામાં આવેલા રૂપિયામાંથી કમાણી પણ કરીને આપતો ન હતો. આમ તેની સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

વધુમાં લખ્યું હતું કે, જૂનાગઢમાં રહેતા હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા માટે જણાવ્યું હતું અને ચીમન સોની પાસેથી લેવામાં આવેલા સોનાના પૈસા પોતે ચૂકવી દેશે તેવું હિરેને જણાવ્યું હતું. પરંતુ ત્યાર પછી હિરેને પણ આ સોનીને પૈસા ચુકવવામાં આવ્યા ન હતા અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનુ લઈ ગયો હતો. પરંતુ સોનીને પૈસા ન મળવાના કારણે તે મૃતક કમલેશ રાદડિયાને તે પૈસા માટે દબાણ કરી રહ્યો હતો.

સાથે જ કમલેશ રાદડિયાએ લખેલી સુસાઇડ નોટમાં એવી પણ જાણકારી સામે આવી છે કે, તેમને પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલવા માટે પોતાના બે મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા. આ ઉપરાંત પોતાના સુસાઈડ નોટમાં કમલેશ રાદડિયા દ્વારા તેમના પર પૈસા માટે દબાણ કરાતું હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *